રિક્ષામાં મુસાફરી કરી રહેલા યુવાનની ૨૫,૦૦૦ ની રોકડ રકમ સેરવી લેવાઇ

  • October 30, 2023 11:24 AM 

રીક્ષાચાલક તને તેના સાગરીતોએ રોકડ રકમ સેરવી લીધાની પોલીસ ફરિયાદ


જામનગરમાં જકાતનાકા વિસ્તારમાંથી એક રીક્ષામાં બેઠેલા મુસાફરની રૂપિયા ૨૫,૦૦૦ ની રોકડ રકમ સેરવી લેવામાં આવી છે, જે મામલે રીક્ષા ચાલક અને તેના સાગરીત સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.


આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ રામનગર શેરી નંબર ત્રણ માં રહેતા પ્રવીણભાઈ રણછોડભાઈ જીલકા (ઉમર વર્ષ ૪૩) કે જે  ૨૬.૧૦ ૨૦૨૩ ના દિવસે જકાતનાકા થી મેલડી માતાના ઢાળિયા વચ્ચે એક રિક્ષામાં બેઠા હતા, તે રીક્ષા ની મુસાફરી દરમિયાન રીક્ષાચાલક અથવા તો તેની સાથે અંદર બેઠેલા અન્ય મુસાફરોએ ગિરદી કરીને ખિસ્સામાંથી રૂપિયા ૨૫,૦૦૦ ની રોકડ રકમ સેરવી લીધી હતી.


રીક્ષામાંથી ઉતર્યા પછી પોતાના ખિસ્સા ચેક કરતાં ઉપરોક્ત રકમ ગાયબ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પ્રવીણભાઈએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ચાલક અને તેના સાગરીતો સામે રૂપિયા ૨૫ હજારની રોકડ રકમ ની ઉઠાંતરી કરી લેવા અંગે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application