રાજકોટમાં રેલનગર પાસે આવેલા અવધ પાર્કમાં રહેતા વેપારી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવા આવ્યા હતાં.ત્યારે ઓચિંતા ઢળી પડતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી તેમને મૃત જાહેર કયર્િ હતાં.વેપારીનું હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રેલનગર પાસે આવેલા અવધ પાર્કમાં રહેતા મહેશભાઇ વલ્લભભાઇ દુધાત્રા(ઉ.વ 42) નામના વેપારી ગઇકાલે રાત્રીના પ્ર.નગર પોલીસ સ્ટેશને અરજી કરવા માટે ગયા હતાં.દરમિયાન અહીં તેઓ વાતચીત કરતા ત્યારે ઓચિંતા બેભાન થઇ ઢળી પડયા હતાં.જેથી તુરંત 108 ને જાણ કરવામાં આવી હતી.બાદમાં તેમને 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી વેપારીને મૃત જાહેર કયર્િ હતાં.બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,મહેશભાઇ ફર્નીચરનું કામ કરતા હતા તેમને રેલનગરમાં ખોડીયાર ફર્નીચરની નામની દુકાન આવેલી છે.તેઓને પૈસાની લેતીદેતી બાબતે વિવાદ હોય જેથી પ્ર.નગર પોલીસ સ્ટેશને અરજી કરવા આવ્યા હતાં.અને અહીં પોલીસ સ્ટેશન સંકુલમાં બેઠા હતાં.દરમિયાન તેમને તબીયત લથડી હતી અને તેઓ બેભાન થઇ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.જયાં તેમને મૃત જાહેર કયર્િ હતાં.વેપારીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech