જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ને ફરી એક ઝટકો લાગ્યો છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવનાર 10 આઝાદ ઉમેદવારોમાંથી ચારે પોતાના નામ પાછા ખેંચી લીધા છે.
જે ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચ્યા છે તેઓ ડોડા, રામબન અને કિશ્તવાડ વિસ્તારના છે, જે આઝાદના ગઢ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં હવે માત્ર અબ્દુલ મજીદ વાની ડોડા વિધાનસભા ક્ષેત્રમાં આઝાદનો ઝંડો પકડેલો જોવા મળે છે. હાલમાં બીજા તબક્કા માટે નોમિનેશન રાઉન્ડ ચાલી રહ્યો છે.
ચૂંટણી લડવાનો નિર્ણય ઉમેદવારો પર છોડી દેવાયો હતો
જણાવી દઈએ કે, બે દિવસ પહેલા આઝાદે ખરાબ તબિયતનું કારણ આપીને વિધાનસભા ચૂંટણીના પ્રચારમાંથી દૂર થવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય ઉમેદવારો પર છોડી દીધો હતો.
આઝાદના નજીકના લોકોએ જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટની રાત્રે શ્રીનગરમાં આઝાદની તબિયત બગડી હતી અને બીજા દિવસે સવારે તેઓ સારવાર માટે નવી દિલ્હી ગયા હતા અને ત્યાં એમ્સમાં બે દિવસ સુધી દાખલ હતા. હાલ તેઓ આરામ કરી રહ્યા છે.
લોકસભા ચૂંટણીમાં પણ સારૂ પ્રદર્શન નથી કરી શકી પાર્ટી
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, તેઓ બે-ત્રણ દિવસ માટે કાશ્મીર આવી શકે છે પરંતુ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકશે નહીં. આઝાદે બે વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને અલગ પાર્ટી બનાવી હતી. તેમણે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા પરંતુ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.
ત્યારથી, તેમના કોંગ્રેસમાં પાછા ફરવાની અટકળો ચાલુ રહી હતી પરંતુ આઝાદે તેનો ઇનકાર કર્યો હતો અને ઉમેદવારોની જાહેરાત કરી હતી. માત્ર તેના કેટલાક નજીકના મિત્રો તેને છોડીને ગયા હતા. પાર્ટીના ઉપાધ્યક્ષ જીએમ સરોરીએ પહેલેથી જ કિશ્તવાડની ઈન્દરવાલ બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.
આઝાદે કહ્યું હતું કે, ઉમેદવારો તેમના નામ પાછા ખેંચવા માટે સ્વતંત્ર છે
આઝાદે કહ્યું કે, તેમને અફસોસ છે કે તેઓ તેમની પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરી શકશે નહીં. તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય તેમના ઉમેદવારો પર છોડી દીધો અને તેમને મૂલ્યાંકન કરવા કહ્યું કે શું તેઓ તેમની ગેરહાજરીમાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. જો તેઓ ઈચ્છે તો તેઓ તેમના નામ પાછા ખેંચવા માટે સ્વતંત્ર છે.
પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારો રહ્યા
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 24 બેઠકો પર નામાંકન પરત ખેંચવાના છેલ્લા દિવસે 25 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતા. હવે માત્ર 219 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. મદન પ્રથમ તબક્કા માટે 18મી સપ્ટેમ્બરે યોજાશે.
પ્રથમ તબક્કામાં દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લા અનંતનાગ, કુલગામ, શોપિયાં અને પુલવામાની 16 વિધાનસભા મતવિસ્તારો અને જમ્મુ પ્રાંતના રામબન, ડોડા અને કિશ્તવારની 8 વિધાનસભા બેઠકો પર 18 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech