રામલીલામાં ખુરશી પર બેઠેલા દલિતને માર મારવામાં આવતા યુવકે કરી આત્મહત્યા

  • October 09, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુપીના કાસગંજમાં રામલીલા પ્રાંગણમાં ખુરસી પર બેઠલા દલિત યુવનનું અપમાન કરતા ત્યાંથી બારે કાઢી મુક્યો હતો. ત્યારબાદ યુવકે ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.


કોતવાલી સોરોન વિસ્તારના સલેમપુર વીવી ગામમાં એક દલિત વ્યક્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. દલિતની આત્મહત્યા પાછળનું કારણ પોલીસ દ્વારા મારપીટ અને અપમાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતકની પત્નીએ બે પોલીસકર્મીઓ પર આરોપ લગાવ્યો છે કે તેણે રામલીલા પ્રાંગણમાં ખુરશી પર બેસવા માટે તેના પતિ પર હુમલો કર્યો હતો. પત્નીએ સોરોન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવી છે.


મૃતક રમેશ ચંદના જમાઈ મનોજ કુમારે જણાવ્યું કે તેઓ રાત્રે 9 વાગે રામલીલા જોવા ગયા હતા. ત્યાં ખુરશીઓ પડી હતી તેથી તે ખુરશી પર બેસી ગયા. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ અને અન્ય એક કોન્સ્ટેબલ ત્યાં આવ્યા અને તેને ખેંચીને લઈ ગયા. તેમજ મારપીટ કરી હતી. જેના કારણે તેને ખૂબ જ ઈજા થઈ હતી. આ પછી તેણે ઘરે આવીને રડતા રડતા આખી વાત કહી અને પછી ફાંસી લગાવી લીધી હતી.


દરમિયાન કાસગંજના એએસપી એ જણાવ્યું કે ગઈકાલે રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ મંચ દરમિયાન ગામના રમેશ ચંદ, જે તે સમયે થોડો નશામાં હતો, સ્ટેજ પર બેઠો હતો. જેના પર આયોજકો અને દર્શકોએ તેને ખસી જવા કહ્યું. બાદમાં પોલીસકર્મીઓએ તેને ત્યાંથી હટાવી દીધો હતો અને તે ઘરે ગયો હતો.


ત્યારબાદ માહિતી મળી હતી કે રમેશ ચંદ તેમના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. માહિતી મળતા જ એસએચઓ, સીઓ સિટી વગેરે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ પરિવારજનો સાથે વાત કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application