પરમાત્માના જોડાણથી જ સાચી ભક્તિનો આધાર: સદગુરુ માતા સુદીક્ષાજી
ભક્તિ તે અવસ્થા છે , જે જીવન માં દિવ્યતા અને આનંદ થી ભરે છે.તે ન ઇચ્છાઓ નો સોદો છે , ન સ્વાર્થ નો માધ્યમ.સાચી ભક્તિ નો અર્થ છે પરમાત્મા સાથે ઊંડો જોડાણ અને નિઃસ્વાર્થ પ્રેમ.
જામનગરમાં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન માં ભક્તિ પર્વ સમાગમ નું આયોજન કરવા માં આવેલ.જેમાં શહેર તેમજ જિલ્લા માં થી સેંકડો શ્રદ્ધાળુઓ એ ભાગ લીધો.
સમાગમ દરમિયાન અનેક વક્તાઓ,કવિઓ અને ગીતકારો એ વિભિન્ન વિદ્યાઓ ના માધ્યમ થી ગુરુ મહિમા થી ભક્તિ ના ભાવપૂર્ણ વર્ણન કર્યા.સંતો ની પ્રેરણાદાયક શિક્ષાઓ ને શ્રદ્ધાળુઓ ના જીવન ને આધ્યાત્મિક દૃષ્ટિકોણ થી સમૃદ્ધ કર્યા.
આ શુભ અવસર પર નિરંકારી માતા સુદિક્ષા જી અને રજપિતા રમિત જી નો સંદેશ આપતા શ્રીમતિ જ્યોતિ ટહેલરમાની જી એ જણાવ્યું કે ,"બ્રહ્મજ્ઞાન ભક્તિ નો આધાર છે ,તે જીવન ને ઉત્સવ બનાવે છે.ભક્તિ નો વાસ્તવિક સ્વરૂપ દેખાવ થી ઉપર અને સ્વાર્થ તથા લાલચ થી મુક્ત હોવું જોઇએ.જેમ દૂધ માં લીંબુ નાખવા થી દૂધ ફાટી જાય છે તેમ ભક્તિ માં લાલચ અને સ્વાર્થ હોય તો તે પોતાની પવિત્રતા ખોઈ બેસે છે ."
સદગુરુ માતાજી એ ઉદાહરણ આપતા કહ્યું કે ભગવાન હનુમાનજી,મીરાબાઈ,અને બુદ્ધ ભગવાનના ભક્તિ સ્વરૂપ ભલે અલગ હતા ,પરંતુ તેઓ નો મર્મ એક જ હતો પરમાત્મા થી અતૂટ જોડાણ.ભક્તિ સેવા,સિમરન અને સત્સંગ જેવા અનેકો રૂપ માં થઇ શકે છે પરંતુ તેમાં નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્પણ નો ભાવ હોવો જોઈએ.ગ્રહસ્થ જીવન માં પણ ભક્તિ સંભવ છે,જો દરેક કાર્ય માં પરમાત્મા નો આભાસ હોય.
તેઓ એ માતા સવિંદર જી અને રાજમાતા જી ના જીવન ને ભક્તિ અને સમર્પણ નો પ્રતીક જણાવેલ.તેઓ એ કહ્યું કે આ વિભૂતિઓ નો જીવન ભક્તિ અને સેવા નો શ્રેષ્ઠ ઉદાહરણ છે. નિરંકારી મિશનનો મૂળ સિદ્ધાંત એ જ છે કે ભક્તિ પરમાત્મા ના તત્વને જાણીને જ સાર્થક રૂપ લઈ શકે છે. નિઃસંદેહ સદગુરુ માતાજી ના અમૂલ્ય પ્રવચનો ને શ્રદ્ધાળુઓ ના જીવન માં બ્રહ્મજ્ઞાન દ્વારા ભક્તિ ના વાસ્તવિક મહત્વ સમઝવા અને અપનાવા માટે પ્રેરણા આપેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech