જામનગર શહેર અને જિલ્લામાં યુવાવયે હાર્ટ એટેકના બનાવવામાં દિન પ્રતિ દિન વધારો થતો જાય છે, અને ગઈકાલે લાલપુર નજીક મેઘપરમાં રહેતા ૩૪ વર્ષીય પંજાબી યુવાનને પોતાના ઘેર હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ પંચાબ રાજ્યના અમૃતસર જિલ્લાના વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ભાડાના મકાનમાં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતા જગદીશસિંઘ નિર્મલસિંઘ નામના ૩૪ વર્ષના શીખ યુવાનને ગઈકાલે રાત્રે ઉઠાડવા જતાં તેઓ નિદ્રાધીન અવસ્થામાં બેબાન બન્યા હતા, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, તેઓને સારવાર અપાય તે પહેલાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ મનદીપસીંઘ નિર્મલસિંઘ પંજાબી એ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી આવી મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech