રામેશ્વરનગરમાં ૧૭ વર્ષના તરુણનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • June 15, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર માં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા ૧૭ વર્ષીય તરુણે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર માટેલ ચોકમાં રહેતા અને કડિયા કામની છૂટક મજૂરી કરતા ધ્રુવ વસંતભાઈ ચોટલીયા નામના ૧૭ વર્ષના તરુણે ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

જે બનાવ અંગે મૃતક ની માતા અનિતાબેન વસંતભાઈ ચોટલીયા એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ આરપી અસારી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application