ફરીદાબાદમાં ગાયની તસ્કરીની શંકામાં ૧૨મા ધોરણના વિધાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી . આવું દુષ્કૃત્ય કરનાર પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી ગૌ રક્ષકોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.દિલ્હી–આગ્રા નેશનલ હાઈવે પર ગઢપુરી પાસે વિધાર્થી આર્યન મિશ્રાની હત્યા કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ અનિલ કૌશિક, વણ, કૃષ્ણા, સૌરવ અને આદેશ તરીકે થઈ છે. બધા ગાય રક્ષક હોવાનું કહેવાય છે. તેઓને ગાયના દાણચોરો સમજીને, તેઓએ હાઇવે પર લગભગ ૨૦ કિલોમીટર સુધી કારમાં બેઠેલા આર્યન અને તેના મકાનમાલિકનો પીછો કર્યેા અને તેમને ગોળી મારી દીધી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી માહિતી અનુસાર અમુક ગૌ રક્ષકોને એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે અમુક કાર ગાય આસપાસ ફરતી હતી. આ શંકાને કારણે ગાયના રક્ષકોએ કારનો પીછો શરૂ કર્યેા અને કારને રોકવા માટે ફાયરિંગ ચાલુ રાખ્યું. હાઈવેના ગઢપુરી ટોલ પર, આરોપીઓએ કારને રોકવા પાછળથી ફાયરિંગ કયુ, જેનાથી કારનો પાછળનો કાચ તૂટી ગયો અને ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા આર્યન મિશ્રાના ગળામાં વાગી ગઈ હતી.તે રાત્રે આર્યન તેના મકાનમાલિક અને અન્ય લોકો સાથે મેગી ખાઈને પરત ફરી રહ્યો હતો.
ગાયની તસ્કરીની શંકામાં ગોળી મારી
આ પછી કાર ચાલક હર્ષિતે કાર રોકી હતી. ત્યારબાદ આરોપીએ બીજી ગોળી મારી જે આર્યનની છાતીમાં વાગી હતી. આ પછી, આરોપીઓએ જોયું કે કારમાં છોકરાઓ સાથે બે મહિલાઓ હતી, તો આરોપીઓ સમજી ગયા કે ગેરસમજને કારણે તેણે કોઈ અન્યને ગોળી મારી દીધી, ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાના બીજા દિવસે આર્યનનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.આ મામલે મૃતક આર્યનના પિતાએ પોલીસને લેખિત ફરિયાદ પણ કરી હતી. મામલાની ગંભીરતા જોઈને ક્રાઈમ બ્રાન્ચે મામલાની તપાસ શ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે યારે સીસીટીવીની તપાસ કરી તો આરોપીઓ મળી આવ્યા, ત્યારબાદ આરોપીઓને તેમના ઘરેથી પકડવામાં આવ્યા. જે બાદ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.૧૯ વર્ષીય આર્યન મિશ્રા ૧૨મા ધોરણનો વિધાર્થી હતો. તે તેના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech