જામનગરમાં આજે યોજાઇ નેશનલ લોક અદાલત: સમાધાન માટે મુકાયા ૯ હજાર કેસ

  • December 09, 2023 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફોજદારી, નેગોશીએબલ, બેન્ક રીકવરી દાવા, લેબર તકરાર, લગ્ન વિષયક, કૌટુંબીક તકરાર, જમીન સંપાદન, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતી લાભના કેસ, રેવન્યુ કેસનો નિકાલ કરાશે

જામનગરની અદાલતમાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું, અલગ અલગ અંદાજે ૯ હજાર જેટલા કેશ સમાધાન માટે મુકવામાં આવ્યા છે, જેમાં લગત કેશમાં પક્ષકારો જોડાયા હતા અને લોક અદાલતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના આદેશ અનુસાર જામનગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આજરોજ જામનગર જીલ્લામાં નેશનલ લોક અદાલતનું કરવામાં આવ્યું છે, જીલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી, સમાધાન કેશ, નેગોશીએબલ, બેન્ક રીકવરી દાવા, લેબર તકરારના કેશ, લગ્ન વિષયક કેશ, વિજળી-પાણી બિલ સમાધાન પાત્ર ન હોય તે સિવાયના કેશ, કૌટુંબીક તકરારના કેશ, જમીન સંપાદનના કેશ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતી લાભના કેશ, રેવન્યુ કેશ વિગેરે મળી આશરે ૯૦૦૦ કેશ સમાધાન માટે મુકવામાં આવ્યા છે, અગાઉ આ અંગેની જાણ કરવામાં આવી હતી આથી લગત કેશના અરજદારો સહિતના જામનગરની અદાલત ખાતે ઉપસ્થીત રહયા હતા.
સવારે જામનગર કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતના આયોજનમાં જુદા જુદા કેશ સબંધે સમાધાન માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જજીસ દ્વારા કેશ કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું, સમાધાનકારી વલણ અપનાવીને કેશનો નિકાલ લાવી શકાય તેનાથી પક્ષકારને ન્યાય મળી શકે છે, વધુમાં લોક અદાલતના માઘ્યમથી કેશમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application