પશ્ચિમ બંગાળની મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં 24 કલાકમાં 9 બાળકના મોત થયા છે. જો કે બાળકોના મોતનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના બાદ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અમિત દાને કહ્યું છે કે કમિટી મામલાની તપાસ કરશે અને બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી કરશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મેડિકલ કોલેજના અધિકારીઓ દાવો કરે છે કે એસએનસીયુ વોર્ડમાં 54 બાળકોની ક્ષમતા હતી, પરંતુ લગભગ 100 નવજાત શિશુઓને દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે ચેપ ફેલાવાની આશંકા વધી ગઈ. મોટા ભાગના બાળકોને ખૂબ જ ખરાબ હાલતમાં રિફર કરવામાં આવ્યા હતા અને તેઓ મૃત્યુ પામ્યા. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા મોટાભાગના બાળકોનું વજન ઓછું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલેજ સત્તાવાળાઓએ એવો પણ દાવો કર્યો હતો કે જાંગીપુર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એસએનસીયુ વોર્ડના નવીનીકરણને કારણે તમામ બાળકોને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી રહ્યા છે. પરિણામે હોસ્પિટલો પર દર્દીઓને દાખલ કરવાનું દબાણ વધી ગયું છે.
અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં સંભવિત એડેનો વાયરસ ચેપથી સંબંધિત તાવના કેસ વધતા, જેમાં છેલ્લા એક જ દિવસમાં પાંચ બાળકના મોત થયા હતા. જે સમયે મોટા ભાગે બાળકોમાં શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળે છે અને બાળકો એડીનોવાયરસ ચેપ હોવાનું ડોકટરો એ જણાવ્યું હતુ, જેના કારણે શ્વસનની તકલીફો થવા લાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech