રશિયન સૈન્યમાંથી અત્યાર સુધીમાં 85 ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે અને વધુ 20 ભારતીયોની મુક્તિ સુરક્ષિત કરવાના પ્રયાસો ચાલુ છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, રશિયન સૈન્યમાંથી અત્યાર સુધીમાં 85 ભારતીય નાગરિકોને છૂટા કરવામાં આવ્યા છે અને તેઓ સુરક્ષિત વતન પાછા આવી ગયા છે.
રશિયાના શહેર કાઝાનમાં બ્રિક્સ સમિટ અંતર્ગત મંગળવારે વડા પ્રધાન મોદી જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે ત્યારે ભારતીય પક્ષ બાકીના ભારતીયોને છૂટા કરવાનો મુદ્દો ઉઠાવશે તેવી અપેક્ષા છે. મોદીએ જુલાઈમાં મોસ્કોમાં પુતિન સાથેની વાતચીત દરમિયાન રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીય નાગરિકોને વહેલી તકે રજા આપવાનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. મિસરીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય પક્ષ રશિયાના વિદેશ અને સંરક્ષણ મંત્રાલયોના વાતર્લિાપકારો સાથે સંપર્કમાં છે જેમાં ભારતીયોને ખોટી રીતે સૈન્યમાં ભરતી કરી દેવામાં આવ્યા હતા તેમની તરફેણમાં અવાજ ઉઠાવ્યો હતો.જેને હવે સાનુકુળ પ્રતિભાવ મળ્યો છે અને લગભગ 85 લોકો રશિયાથી પાછા ફયર્િ છે. એટલું જ નહી જીવ ગુમાવનારા લોકોના કેટલાક નશ્વર અવશેષો પણ પરત મેળવ્યા છે. લગભગ 20 લોકો હજુ પણ રશિયન આર્મીમાં છે અને અમે અમારા સંવાદકતર્ઓિને ત્યાં સશસ્ત્ર દળોમાં બાકી રહેલા તમામ ભારતીયોને વહેલી તકે છૂટા કરવા માટે દબાણ કરી રહ્યા છીએ.સત્તાવાર માહિતી અનુસાર રશિયન સેનામાં સેવા આપતા નવ ભારતીયોના મોત થયા છે.વિરોધ થવાને પગલે એપ્રિલથી, રશિયન ફેડરેશનના સંરક્ષણ મંત્રાલયે સૈન્યની સેવામાં ભારત સહિત સંખ્યાબંધ વિદેશી દેશોના નાગરિકોની ભરતી કરવાનું બંધ કરી દીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech