ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૪ની અમલીકરણ સમિતિની બેઠક્ યોજાઈ હતી.જેમાં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર પી.વી.ચૌહાણે સુજલામ સુફલામ્ યોજના-૨૦૨૪ની વિગતો આપતાં જણાવ્યું હતું કે,ભાવનગરમાં લોકભાગીદારીના ૧૦૧ કામો પૈકી ૮૧ કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.જેમા ભાવનગરમાં ૯ કામો, તળાજામાં ૧૯ કામો, ઘોઘામાં ૬ કામો, મહુવામાં ૮ કામો , જેસરમાં ૬ કામો , પાલીતાણામાં ૯ કામો , ગારીયાધારમાં ૬ કામો, શિહોરમાં ૮ કામો, ઉમરાળામાં ૪ અને વલ્લભીપુર તાલુકામાં ૬ કામો પૂર્ણ કરાયાં છે. આ ખોદાણ કામમાંથી ૫૯૮૮૪૨.૮૨ જથ્થો (ઘ.મી) પ્રાપ્ત થયેલો. આ માટી/કાંપ આજુબાજુનાં ખેડૂતો જમીનમાં ફળદ્રુપતા વધારવા હેતુસર લઇ ગયાં છે. સરકારની જોગવાઈ મુજબ ખેડૂતોને કોઈપણ પ્રકારની રોયલ્ટી ચૂકવ્યા વિના માટી/કાંપ વિપુલ માત્રામાં પ્રાપ્ત થયો હોવાનું જણાવ્યું હતું.
સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મેહુલસિંહ પરમાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના અંગે જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮થી સમગ્ર રાજ્યમાં ચોમાસાના પાણીનો ભૂગર્ભ જળ સંચય કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. રાજ્યમાં જળ સંચયનો વ્યાપ વધારવા માટે તળાવ તથા ચેકડેમ ડીસીલ્ટીંગ, નવા તળાવ તથા ચેકડેમ બનાવવા, જળાશય ડીસીલ્ટીંગ, ખેત તલાવડી, વગેરે જેવા કામો હાથ ધરવવામાં આવે છે. તદુપરાંત મનરેગા યોજના અંતર્ગત કામ કરવાથી શ્રમિકોને રોજગારી મળી રહે છે.આ યોજનાથી ભાવનગર જીલ્લાનાં વિવિધ ગામોમાં હયાત તળાવ તથા ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં વધારો થયો્ છે તેના પરિણામે તળાવ ચેકડેમોની આજુબાજુની ખેતીલાયક જમીનમાં પાણીનાં તળ ઊંચા આવ્યાં હોવા અંગેની જાણકારી આપી હતી.
બેઠક્મા જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર આશિષભાઇ બાલધિયા સહિત સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૪ની અમલીકરણ સમિતિની સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMડલ્લેવાલ-પંઢેર સહિત ઘણા ખેડૂત નેતાઓ હિરાસતમાં, શંભુ અને ખનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ
March 19, 2025 07:52 PMગીરના સાવજો માટે વન વિભાગની પાણીની વ્યવસ્થા: 500 કૃત્રિમ પોઈન્ટ તૈયાર
March 19, 2025 07:45 PMUPIથી પેમેન્ટ લેવા પર હવે થશે કમાણી! સરકારે લીધો મોટો નિર્ણય, આ રીતે મળશે ફાયદો
March 19, 2025 07:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech