ઈંગ્લેન્ડના ૮ મિલિયન જેટલા કર્મચારીઓ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ(એઆઈ)ને કારણે તેમની નોકરી ગુમાવવાનું જોખમ ધરાવે છે તેવી ચેતવણી ઇન્સ્િટટૂટ ફોર પબ્લિક પોલિસી રિસર્ચએ આપી છે. થિંક ટેન્કે બુધવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં ચેતવણી આપી હતી કે પહેલાથી કાર્યરત એઆઈ યુકે સ્ટાફ દ્રારા કરવામાં આવેલા ૧૧% કાર્યેાને અસર કરે છે, જો કંપનીઓ ટેકનોલોજીને વધુ ઐંડાણપૂર્વક સંકલિત કરે તો આ આંકડો લગભગ ૬૦% સુધી વધી શકે છે. પાર્ટ–ટાઇમ, એન્ટ્રી લેવલ અને બેક–ઓફિસની નોકરીઓ જેમ કે ગ્રાહક સેવા સૌથી વધુ જોખમમાં છે પરંતુ ઉચ્ચ પગારવાળી નોકરીઓ વધુને વધુ પ્રભાવિત થશે.
આઈપીપીઆરના વરિ અર્થશાક્રી કાસ્ર્ટન જંગે જણાવ્યું હતું કે પહેલેથી જ અસ્તિત્વમાં છે તે જનરેટિવ એઆઈ મોટા શ્રમ બજારમાં વિક્ષેપ તરફ દોરી શકે છે અથવા તે આર્થિક વિકાસને મોટા પ્રમાણમાં વેગ આપી શકે છે, કોઈપણ રીતે તે ગેમ ચેન્જર બની શકે છે.
નવેમ્બરમાં પ્રકાશિત તેના પોતાના અહેવાલમાં, સરકારે સ્વીકાયુ હતું કે એઆઈ પહેલાથી જ ફાઇનાન્સ અને વીમા ક્ષેત્રની નોકરીઓને અસર કરી રહ્યું છે. તેણે શાળાઓ અને નોકરીદાતાઓને કામદારોને અનુકૂલન કરવા માટે જરી કૌશલ્યોથી સ કરવા હાકલ કરી હતી. સંશોધનોએ અનુમાન લગાવ્યું છે કે જો સરકારની નીતિઓમાં ફેરફાર નહીં કરવામાં આવે તો એઆઈ કોઈ આર્થિક લાભ વિના ૮ મિલિયન નોકરીઓનો નાશ કરશે.
એઆઇ કૌશલ્યોની વાત આવે ત્યારે યુકે ભારત, યુએસ, જર્મની, કેનેડા અને ઇઝરાયેલ કરતાં પાછળ છે તેમ લિંકિડનના અલગ સંશોધન દર્શાવે છે. રોજગાર–કેન્દ્રિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે યુકેના કન્ટ્રી મેનેજર, જેનિન ચેમ્બરલિનના જણાવ્યા અનુસાર, યુકેના અડધા કરતાં ઓછા વ્યવસાયો તેમના કામદારોને અપકુશળ બનાવવા માટે રોકાણ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech