મધ્ય આફ્રિકામાં સ્થિત દેશ કાંગોની રાજધાની કિન્સાસા પાસે એક બોટ ઉંધી વળી જતા ૮૦ મુસાફરોના ડૂબી જતા મોત થયા હતા જયારે ૧૮૫થી વધુ લોકો તરીને બહાર આવી જતા તેમનો જીવ બચી ગયો હતો. ઓવર લોડ બોટ કીન્સરા સાથે અથડાયા બાદ પલટી માટી ગઈ હતી.આ અંગે મળતી વિગતો મુજબ કાંગોની રાજધાની કિન્સાસા નજીક નદીમાં ૨૭૦થી વધુ મુસાફરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૮૦થી વધુ લોકોના મોતના અહેવાલથી ચકચાર મચી ગઈ છે. નોંધનિય છે કે, દેશના રાષ્ટ્ર્રપતિ ફેલિકસ ત્શિસેકેદીએ આ માહિતી આપી હતી. પ્રાથમિક વિગતો મુજબ મુસાફરોને લઈ જતી બોટ નદી કિનારે અથડાયા બાદ તૂટી પડી હતી.
કિન્સાસા નજીક નદીમાં એક બોટ સેંકડો મુસાફરોને લઈને કિંશાસા જઈ રહી હતી. આ દરમિયાન અચાનક બોટની એન્જીન ફેલ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી અને બોટ કાબુ બહાર જઈ કિનારા સાથે અથડાઈ પડી. મુશી જિલ્લામાં વોટર કમિશનર રેઈન મેકરે અકસ્માત અંગે માહિતી આપતા કહ્યુ કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૮૦ મુસાફરોના મોત થયા હતા. આ સાથે ૧૮૫ લોકો નદીમાં તરીને કિનારે પહોંચવામાં સફળ થયા હતા. મહત્વનું છે કે, આ સ્થળ મુશીના નજીકના શહેરથી લગભગ ૭૦ કિલોમીટર (૪૩ માઇલ) દૂર છે.
કઈ રીતે બની દુર્ઘટના ?
મુશી જિલ્લામાં વોટર કમિશનર રેઈન મેકરે કહ્યું કે, માહિતી પ્રમાણે બોટ નદી કિનારે અથડાઈ અને તૂટી ગઈ. કાંગો સત્તાવાળાઓએ વારંવાર બોટ માં કરવામાં આવતા મુસાફરોના ઓવરલોડિંગ સામે ચેતવણી આપી છે અને જેઓ જળ પરિવહન માટે સલામતીનાં પગલાંનું ઉલ્લંઘન કરે છે તેમને સજા કરવા માટે આદેશ કર્યેા છે. ઉલેખનીય છે કે દૂરના વિસ્તારોમાં યાંથી મોટાભાગના પ્રવાસીઓ આવે છે, ત્યાં ઘણા ઉપલબ્ધ રસ્તાઓ હોવા છતાં હોડીનો વિકલ્પ પસદં કરે છે અને બાદમાં દુર્ઘટનાનો ભોગ બને છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech