કામદાર કોલોનીમાં મકાનમાંથી ત્રાંબાના ૮ ત્રાસની ઉઠાંતરી

  • May 23, 2023 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં એક મકાનમાં પ્રવેશેલા તસ્કરો ત્રાંબાના ૮ ત્રાસ ઉઠાંતરી કરી ગયાનું બહાર આવતા પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના કામદાર કોલોની નેમીનાથ સોસાયટીમાં રહેતા વેપારી મહેન્દ્ર અમૃતલાલ શાહએ ગઇકાલે સીટી-સીમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી મહેન્દ્રભાઇએ કામદાર કોલોની શેરી નં. ૮ના ખુણે સાઘ્વીઓને ઉતારા માટે આપેલ મકાનમાં રાખેલા ત્રાંબાના ૮ ત્રાસ જેની કિ. ૬૫૦૦ની કોઇ અજાણ્યો શખ્સ ગત તા. ૩ના સમય દરમ્યાન ચોરી કરી ગયો હતો જે ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application