રાજકોટ શહેરમાં કોરોનાએ તેજ રફતાર પકડી છે અને દરરોજ અલગ અલગ વિસ્તારોમાંથી નવા કેસ મળવા લાગ્યા છે દરમિયાન આજે સવારે વધુ આઠ કેસ મળતા મહાપાલિકાની આરોગ્ય શાખામાં દોડધામ મચી ગઈ હતી. આજના નવા આઠ કેસ સાથે રાજકોટ શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૩એ પહોંચી છે. હાલમાં કોરોનાના કેસ મળી રહ્યા છે તે તમામ દર્દીઓ વેક્સિનેટેડ છે તેમજ આજે મળેલા આઠ કેસ માંથી છ દર્દીની તો કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી તેમ છતાં સંક્રમિત થયા છે ત્યારે એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું લોકલ ટ્રાન્સમિશન તો શરૂ થયું નથી ને ?
વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આજે આઠ કેસ મળ્યા છે જે નીચે મુજબ છે
તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં તા.૧૯-૫-૨૦૨૫ના રોજ કોરોનાનો પ્રથમ કેસ મળ્યો હતો. ત્યારબાદ લગાતાર કેસ મળી રહ્યા છે. હાલ સુધીમાં ફક્ત એક દર્દી સાજા થયા છે અને આજની સ્થિતિએ કુલ ૨૩ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે અને તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech