બોલીવૂડની સ્પેશિયલ 26 ફિલ્મ જેવી ઘટના દાહોદ જિલ્લામાં બની છે. ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ઇન્કમટેક્સના નામે 6 નકલી અધિકારી બની લાયસન્સધારી વેપારીને ત્યાં દરોડો પાડ્યો હતો. બાદમાં આ નકલી અધિકારીઓએ વેપારીને મામલો રફેદફે કરવા 25 લાખની માગણી કરી હતી. આથી વેપારી ડરી ગયા હતા અને 2 લાખ તો આપી પણ દીધા હતા.
આ ઘટના બાદ વેપારીને શંકા ગઈ હતી. વેપારીને નકલી ઇન્કમટેક્સના લોકો હોવાનું જણાતા તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 2 શખસની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્યોની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, સુખસરમાં પોતાના જ વિસ્તારમાં લાયસન્સથી નાણાં ધીરધારનો વેપાર કરતાં અલ્પેશભાઈ ઉકારભાઈ પ્રજાપતિની દુકાનમાં ગત તા.10મી જાન્યુઆરીના રોજ બપોરના 2 વાગ્યાના આસપાસ 6 જેટલા નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બની આવ્યા હતા. આ નકલી અધિકારીઓ વેપારીને કહેવા લાગ્યા કે, અમે ઈન્કમટેક્સ ઓફિસર છીએ, તમારી દુકાન અને ઘર સર્ચ કરવાનું છે, તમારી વિરૂદ્ધ અરજી આવેલી છે. બાદમાં આ શખસોએ દુકાનમાં મુકી રાખેલા દાગીના તપાસ કરવા લાગ્યા હતાં.
આ દરમિયાન નકલી ઈન્કમટેક્સ ઓફિસર બનીને આવેલા શખસોએ દાગીના જપ્ત નહીં કરવા રૂપિયા 25 લાખની માંગણી કરી હતી, પરંતુ અલ્પેશભાઈએ પોતાની પાસે આટલા નાંણા ન હોવાનું જણાવી પોતાની પાસે રહેલા 2 લાખ રોકડા નકલી ઈન્મટેક્સ બનીને આવેલા શખસોને આપી દીધાં હતાં.
ચાર શખસ હજુ ફરાર
બાદમાં અલ્પેશભાઈ પર પોતાના સંબંધીનો ફોન આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તમારી દુકાને જે માણસો આવેલા છે તે નકલી ઈન્કમટેક્સના માણસો છે. જેથી અલ્પેશભાઈ સુખસર પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચી ગયાં હતાં. સુખસર પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી નકલી ઈન્કમટેક્સ ઓફિસર બનીને આવેલા 6 પૈકી ભાવેશ બીપીનચંદ્ર આચાર્ય અને અબ્દુલ સુલેમાનને ઝડપી પાડ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech