વેરાવળ બંદર પર લવાયેલા આ ફિશિંગ બોટોમાં એક જ લાયસન્સ પર એકથી વધુ ફિશિંગ બોટો દરિયામાં ગેરકાયદે ચાલી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે.અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ફિશિંગની સાથે સમુદ્રી સુરક્ષાને લઈ મોટો ખતરો સર્જતી ઘટના સામે આવી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સોમનાથના સમુદ્રમાંથી ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની ૬ બોટો ઝડપી પાડી છે. ઝડપાયેલી બોટોમાં એક જ લાયસન્સ પર ૨ ફિશિંગ બોટોનો ઘટસ્ફોટ વેરાવળ એસોશિએસનના સેક્રેટરીએ ઘટસ્ફોટ કર્યો છે.ગુજરાતના અને ખાસ કરીને ગીર સોમનાથ પોરબંદરના સમુદ્રમાં મહારાષ્ટ્રની ફિશિંગ બોટો દ્વારા ગેરકાયદે લાઈન ફિશિંગ કરવામાં આવતી હોવાની અનેકવાર ફરિયાદ ઉઠી છે. થોડા દિવસો પહેલા વેરાવળ બોટ એસોશિએસનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી ફરિયાદ કરી હતી. ત્યારે હરકતમાં આવેલ તંત્રએ ગીર સોમનાથના સમુદ્રમાં ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી મહારાષ્ટ્ર અને રત્નગીરીની ૬ જેટલી ફિશિંગ બોટોને દરિયામાંથી ઝડપી પાડી છે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઝડપાયેલી ફિશિંગ બોટોમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. જે સમુદ્રી સુરક્ષાને લઈને પણ અનેક સવાલો સર્જી્ શકે છે. વેરાવળ બંદર પર લવાયેલા આ ફિશિંગ બોટોમાં એક જ લાયસન્સ પર એકથી વધુ ફિશિંગ બોટો દરિયામાં ગેરકાયદે ચાલી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે.વેરાવળ માછીમાર બોટ એસોશિએસનના સેક્રેટરી દિનેશ વધાવીએ આ કૌભાંડનો ખુલાસો કર્યો છે અને સરકાર આ મામલે ઉંડી તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે. દિનેશ વધાવીએ એવું પણ જણાવ્યું હતું કે, ગીર સોમનાથના સમુદ્રમાં ૨૫૦થી ૩૦૦ જેટલી ફિશિંગ બોટો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરી રહી છે. જેને અટકાવી ખૂબ જ જરૂરી છે.
વેરાવળના સ્થાનિક માછીમાર રમેશ ફોફંડીએ જણાવ્યું હતું કે, દરિયામાં ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી પરપ્રાંતીય બોટોને અટકાવવા જતાં અમારા સ્થાનિક માછીમારો પર હુમલા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech