જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા ૬ એ.એસ.આઈ. તથા ૧ હેડ કોન્સ્ટેબલને નિવૃત્ત વિદાયમાન

  • June 01, 2024 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા ૬ એ.એસ.આઈ. તેમજ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેઓ ગઈકાલે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા, તેઓને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિદાયમાન અપાયું હતું.


જામનગરના પોલીસ બેડા માં ફરજ બજાવી ને ગઈકાલે રિટાયર્ડ થનાર પોલીસ કર્મચારીઓ એ.એસ.આઈ. જમનભાઈ નાથાભાઈ મુંગરા, એ.એસ.આઈ. હરજીભાઈ હરદાસભાઇ ડાભી, એ.એસ.આઈ.  રાધેશ્યામ દ્વારકાદાસ અગ્રાવત, એ.એસ.આઈ. પંકજભાઈ ગૌરીશંકરભાઈ પંડ્યા, એ.એસ.આઈ. પ્રકાશભાઈ દેવરાજભાઈ જરૂ, એ.એસ.આઈ. યુસુફઅલી બદરમીયા કાદરી, તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદગર ભીખુગર ગોસાઈ વગેરેનો વિદાય સન્માન સમારોહ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ ની કચેરી માં રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ નું મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application