ગ્રામ્ય કક્ષાની આંતરીક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી સુદ્રઢ કરવા ચર્ચા કરાઇ
જામનગર તા.૧૭ ઓક્ટોબર, કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની ૫૬ મી બેઠક મળી હતી.જેમા જિલ્લાના પાણીને લગતા વિવિધ આયોજનોને સૈદ્ધાંતિક મંજુરી અપાઇ હતી.
બેઠકમા રિજુવીનેશન પ્રોગ્રામ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા તથા જામનગર તાલુકાના વાણીયાગામ ખાતે હયાત બોર ઉપર સબ પંપ સેટ ફાળવવાની કામગીરી, કાલાવડ તાલુકાના પીઠડપુર ગામે હયાત સંપ થ્રી ફેઝ સબ મોનો પંપ સેટ તથા પેનલ બોર્ડ ફાળવવાની કામગીરી, જામનગર તાલુકાના ખીમરાણા અને વાણીયાગામ ખાતે એટીવીટી યોજના અંતર્ગત બોર શારકામની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.સાથે સાથે જળ વ્યવસ્થાપનને લગતી સંલગ્ન કામગીરી હાથ ધરવા તથા ગ્રામ્ય કક્ષાની આંતરીક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી સુદ્રઢ કરવા ચર્ચા કરાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શારદા કાથડ, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીના યુનિટ મેનેજર શ્રી ભાવીકાબા જાડેજા સહિત સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech