છોટાઉદેપુરના બોડેલીમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સામે આવી છે. જેમાં બોડેલીના પાનેજમાં 5 વર્ષીય બાળકીની બલી ચઢાવી દેવાઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આરોપી ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરીને આ કામ કર્યુ છે. ભુવાએ પોતાના જ ઘરની સામે રહેતી 5 વર્ષની બાળકીની હત્યા કરી દેતા ગામમાં રોષની લાગણી જોવા મળી છે. ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી હત્યા કરી દેવાઈ છે.
પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ
ગુજરાતમા હજી પણ ગામડાઓમાં અંધશ્રધ્ધાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યાં છે, ત્યારે આવો જ એક કિસ્સો છોટાઉદેપુરમાં બન્યો છે. જેમાં બાળકીને લઈ જવામાં આવે છે અને ભુવાએ પરિવારની સામે જ ગળું કાપીને તેની હત્યા કરી દેતા પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ છે, ગ્રામજનોએ આ સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરી છે. પોલીસે આરોપી ભુવા લાલુ તડવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નાનો ભાઈ બલી માટે બાળકીને લઈ ગયો હતો
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની ટીમે આસપાસના લોકોના નિવેદન લઈને પંચનામું પણ કર્યુ છે, તો બાળકીના મૃતદેહને મામલતદારની હાજરીમાં પીએમ માટે મોકલી આપ્યો છે. પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. નાનો ભાઈ બલી માટે બાળકીને લઈ ગયો હતો અને સમગ્ર ઘટના સામે આવી છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
અંધશ્રદ્ધાનો કાયદા પ્રમાણે સજાની જોગવાઈ
વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિનજામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
March 10, 2025 06:16 PMસરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ
March 10, 2025 05:51 PMસરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ
March 10, 2025 05:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech