યુપીના બરેલીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત

  • October 02, 2024 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓમાં બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી હોય છે. આ વખતે બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ કારણે ફેક્ટરીની આસપાસના આઠ મકાનો ધરાશાયી થયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈ જતાં 5 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય ચલાવી રહી છે.


વિગતવાર વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના સિરૌલીના કલ્યાણપુર ગામમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ મકાન ધરાશાયી થયા હતા અને પાંચ લોકોના મોત થયા હતા. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ છે અને બે બાળકો સહિત ત્રણ લોકો હજુ પણ લાપતા છે. ઘટના બાદ SDRFની ટીમ કાટમાળ હટાવીને લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે.


બે મહિના પહેલા લાઇસન્સ કરાયું હતું રદ્દ

સિરૌલીના કૌઆ ટોલાના રહેવાસી નાઝીમ અને નાસીર સગા ભાઈ છે. નાસીરના નામે ફટાકડા વેચવાનું લાયસન્સ હતું. જ્યારે 21 ઓગસ્ટના રોજ નાસિરને ત્યાં વિસ્ફોટ થયો હતો, ત્યારે પ્રશાસને એફઆઈઆર દાખલ કર્યા પછી જ તેનું લાઇસન્સ રદ કર્યું હતું. પરંતુ આ પછી પણ તેણે ફટાકડા બનાવવાનું કામ બંધ ન કર્યું.


ઘટનાસ્થળે ફટાકડા બનાવી રહેલા નાસીર અને બાળકો સહિત ત્રણ લોકો ગુમ છે. SDRFની ટીમ કાટમાળ હટાવીને બધાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ઘાયલોને પીએચસીમાંથી રીફર કરીને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રીએ ઘટનાની નોંધ લીધી છે. તાત્કાલિક સારી સારવાર માટે આદેશ જારી કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application