રાજસ્થાનના કરૌલીમાં આજે વહેલી સવારે બસ અને કાર વચ્ચે જોરદાર અથડામણમાં 5 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ઘટનાની વધુમાં મળતી વિગતો અનુસાર આખો પરિવાર કૈલાદેવી ના દર્શને જતો હતો.
કરૌલીમાં માર્ગ અકસ્માતની આ ઘટના એટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કયર્િ હતા. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તેમજ આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતકો એક જ પરિવાર
કરૌલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર રમેશ મીણાએ જણાવ્યું હતું કે, કરૌલી ગંગાપુર રોડ પર કાર અને બસ વચ્ચેની ટક્કરમાં 5 લોકોના મોત થયા છે. તમામ મૃતકો એક જ પરિવારના છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ કૈલાદેવીની મુલાકાતે જતા હતા. બસમાં સવાર 15 લોકો ઘાયલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech