શેરબજારમાં ઘટાડા સાથે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોમાં પણ ભાગદોડ મચી ગઈ છે. મધ્યમ વર્ગમાં લોકપ્રિય મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી પણ લોકોને નિરાશ કરી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં એસઆઈપી ખાતા બંધ કરવાના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ મુજબ, ડિસેમ્બર મહિનામાં 45 લાખ એસઆઈપી ખાતા બંધ કરવામાં આવ્યા હતા. જે એક મહિનામાં અત્યારસુધીના હાઇએસ્ટ છે.
અગાઉ મે 2024માં, 44 લાખ એસઆઈપી ખાતા બંધ કરવામાં આવ્યા હતા. રોકાણકારોના આ વલણથી બજારના દિગ્ગજો ચિંતામાં મુકાયા છે. શેરબજારના દિગ્ગજો ચિંતિત છે કે, અગાઉના એસઆઈપી રોકાણકારોને બજારના તાત્કાલિક વધઘટથી અસર થતી ન હતી અને તેઓ લાંબા ગાળાના રોકાણ દ્વારા સારું વળતર મેળવતા હતા. પરંતુ એસઆઈપી રોકાણકારોમાં લાંબા ગાળાના રોકાણ દ્વારા સંપત્તિ બનાવવાનો આ ટ્રેન્ડ સમાપ્ત થઈ રહ્યો છે.
એસઆઈપી ખાતાઓ ફક્ત બંધ જ નથી થઈ રહ્યા, પરંતુ નવા એસઆઈપી ખાતા ખોલવાનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં ફક્ત નવ લાખ એસઆઈપી ખાતા ખોલવામાં આવ્યા હતા, જે છેલ્લા સાત મહિનામાં સૌથી ઓછું હતું. એસઆઈપી રોકાણકારો રૂપિયાના મૂલ્યના આધારે લાંબા ગાળાના ચક્રવૃદ્ધિ દ્વારા તેમના રોકાણ પર વળતર જુએ છે. આમ છતાં, ખાતા ખોલવામાં ઘટાડો ચિંતાનો વિષય છે.
નાણાકીય બજારના નિષ્ણાતો કહે છે કે, રોકાણ ઉત્પાદન પસંદ કરવામાં બેદરકારી અથવા સમજણનો અભાવ ક્યારેક નુકસાનકારક સોદા તરફ દોરી જાય છે. આ ખાસ કરીને એવા લોકો માટે થાય છે જેઓ નાણાકીય બજારમાં નવા છે. શેરબજારના એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે, એસઆઈપી રોકાણકારો તાજેતરના પ્રદર્શન અને વર્ષભરના વળતરના આધારે ભંડોળ પસંદ કરે છે.
ટૂંકા ગાળાના સારા પ્રદર્શન અને નબળા પ્રદર્શન આવે છે અને જાય છે. ક્યારેક સારા ટ્રેક રેકોર્ડ ધરાવતા ફંડ્સ પણ બજારની સ્થિતિ અથવા મેનેજમેન્ટ વ્યૂહરચનામાં ફેરફારને કારણે તેમના બેન્ચમાર્કથી નીચે આવી જાય છે. આથી, આવી પરિસ્થિતિમાં રોકાણકારોએ શાંતિથી વિચારવું જોઈએ. કારણ કે, ભારતમાં એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે અને લાંબા ગાળે સારું વળતર આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech