હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ગાઝા પટ્ટીથી ઈઝરાયેલ તરફ મોટી સંખ્યામાં રોકેટ છોડવામાં આવ્યા છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ પર થયેલા હુમલાને લઇને દુઃખ વ્યક્ત કર્યું; કહ્યું કે, હુમલાથી હું વ્યથિત છું, અમારી સંવેદના અને પ્રાર્થના નિદ્રોષ પીડિતો અને તેમના પરિવારના લોકોની સાથે છે.
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર ગાઝા પટ્ટીથી ઈઝરાયેલ તરફ મોટી સંખ્યામાં રોકેટ છોડવામાં આવ્યા છે. આ હુમલામાં 44 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. અમે યુદ્ધ માટે તૈયાર છીએ અને તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તમને જણાવી દઈએ કે હમાસ આતંકવાદીઓના આ હુમલાને લઈને ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે.
યુરોપીય સંસદના અધ્યક્ષ રોબર્ટા મેટસોલાએ ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, ઈઝરાયેલ પર થતા હુમલાઓથી ભયભીત છીએ. અમે નિર્દોષ લોકો સામે આતંક અને હિંસાની નિંદા કરીએ છીએ. મારા વિચારો નિર્દોષ તમામ લોકો સાથે છે તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતુ કે બધા પ્રથમ પ્રતિસાદ આપનારાઓ અને આ ક્રૂર હુમલાઓ સામે બચાવ કરનારાઓ સાથે છે.
ઇઝરાયલી રાજદુત માયા કારદોષે ભારતીય નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતુ કે, ઇઝરાયલમાં ભારતીય નાગરિકો સૌનિકોના સંદેશા પર ધ્યાન આપે, સાવધાની રાખે, પોતાના ઘરની આસપાસ સુરક્ષિત જગ્યા પર રહો, ઇઝરાયલની સુરક્ષા વ્યવસ્થા ખુબ જ સારી છે.
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. અમે યુદ્ધ માટે તૈયાર છીએ. તમને જણાવી દઈએ કે હમાસ આતંકવાદીઓના આ હુમલાને લઈને ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech