દડીયા ગામમાં મકાનમાંથી ૪.૬૧ લાખની ચોરી

  • August 05, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક દડીયા ગામમાં રહેતા એક રીક્ષા ચાલકના બંધ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાનમાંથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહીત કુલ ૪.૬૧ લાખ ની માલમત્તા ચોરી કરી ગયા છે. 


 જામનગર તાલુકાના દડીયા ગામમાં રહેતા અને રીક્ષા ચલાવતા અશ્વિનભાઈ વિનોદરાય નંદાના બંધ મકાન ને નિશાન બનાવી લીધું હતું. રાત્રીના બે વાગ્યે થી સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન ૨,૬૨,૦૦૦ ની રોકડ રકમ, ૧.૫૫,૦૦૦ ની કિંમતના સોનાના દાગીના, ૨૪,૦૦૦ ની કિંમતના ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂપિયા ૪,૬૧,૦૦૦ની માલમત્તા ચોરી ગયા હતા.


આ ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.એ.મોરી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તસ્કરો ને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. એવી વિગત મળી છે કે પરિવારના સભ્યો અમદાવાદ ગયા હતા અને પાછળથી ચોરી થઇ હતી, આ ચોરીમાં કોઇ જાણભેદુનો હાથ છે કે કેમ એ દીશામાં તપાસ લંબાવવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application