જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હિમાચલમાં 340 રસ્તાઓ પર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. ચિત્કુલમાં અઢી ફૂટથી વધુ બરફ છે, જેના કારણે ઘણા પ્રવાસીઓ અટવાઈ ગયા છે. આથી રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસે જવાનું ટાળજો.
કાશ્મીરમાં હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ રોડ બંધ છે. કાશ્મીર યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. 1800 જેટલા વાહનો અટવાયા છે. ગાંદરબલ, સોનમર્ગ, પહેલગામ, ગુંડ, બારામુલ્લા સહિત અનેક સ્થળોએ તાપમાન માઈનસ 10 થી 22 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
અહીં એક ફૂટ સુધી હિમવર્ષા થઈ હતી, જેના કારણે લગભગ 2 હજાર પ્રવાસીઓ અલગ-અલગ જગ્યાએ અટવાય પડ્યા હતા. સ્થાનિક કાશ્મીરીઓએ ઘરો અને મસ્જિદોના દરવાજા ખોલ્યા. તેમને રહેવા માટે જગ્યા, ધાબળા અને રજાઈ સાથે ગરમ ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આગામી 24 કલાકમાં 3 હજાર મીટરથી વધુની ઊંચાઈએ હિમપ્રપાત (બરફ તૂટી પડવાની)ની ચેતવણી છે. હિમવર્ષાના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પાંડુકેશ્વર-બદ્રીનાથ વચ્ચે બંધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech