રાજકોટ શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત કરાયેલા સરપ્રાઇઝ ચેકીંગમાં આજે જાહેરમાં ગંદકી ફેલાવતા વધુ ૩૪ ઝડપાયા હતા અને ૨૭.૮ ટન કચરાનો નિકાલ કરાયો હતો.વિશેષમાં મ્યુનિ.અધિકારી–ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણેય ઝોનના ૧૦૬ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી ૨૫.૩ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ ન્યુસન્સ પોઈન્ટ સહીત શહેરના તમામ મુખ્ય માર્ગેા પર સઘન સફાઈ કામગીરી કરવામાં આવે છે અને દરેક મુખ્ય માર્ગ પર નિમણુકં કરેલ પ્રભારી ઓફિસર દ્રારા સફાઈ કામગીરીનું સુપરવીઝન કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેયુ હતું કે શહેરના એન્ટ્રી–એકઝીટ પોઈન્ટ ખાતેથી ૨.૫ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમા શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારના એન્ટ્રી –એકઝીટ પોઈન્ટ જેવા કે, કાંગશિયાળીથી ગોંડલ ચોકડી અને ગોંડલ ચોકડીથી પુનીતનગર સુધીના પોઈન્ટ ખાતેથી કુલ ૦૧ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ પૂર્વ ઝોન વિસ્તારના એન્ટ્રી–એકઝીટ પોઈન્ટ જેવા કે, (૧) ભાવનગર રોડ અને (૨) કુવાડવા રોડ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ ૧.૫ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. મધ્ય ઝોનના વોર્ડ નં.૨, ૩, ૭, ૧૩, ૧૪ તથા ૧૭ના વિસ્તારોમાં કુલ ૧૪ નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા ઝડપાયા હતા તેમને દડં કરાયો હતો, ૨.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ઝોનના વોર્ડ નં.૧, ૮, ૯, ૧૦, ૧૧ તથા ૧૨ના વિસ્તારમાં ૧૨ નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા ઝડપાયા હતા તેમને દડં કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત ૨.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવામાં આવ્યુ હતુ. યારે પુર્વ ઝોનના વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫, ૧૬ તથા ૧૮ના વિસ્તારમાં ૮ નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા ઝડપાયા હતા તેમની પાસેથી દડં વસુલાયો હતો તેમજ ૦.૭ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech