બાંગ્લાદેશ હિંસામાં 32 લોકોના મોત, કેન્દ્રએ ભારતીયોને આપી ચેતવણી, હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

  • August 04, 2024 08:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશમાં દેખાવકારોએ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામા અને તાજેતરની હિંસામાં માર્યા ગયેલા લોકો માટે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. સત્તાધારી અવામી લીગના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે રવિવારે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા અને 30 અન્ય ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.


બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગણી સાથે વિરોધ કરી રહેલા લોકો અને સત્તાધારી અવામી લીગના સમર્થકો વચ્ચે રવિવારે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા હતા અને 30 અન્ય ઘાયલ થયા હતા.


ભારતે બાંગ્લાદેશમાં રહેતા તેના નાગરિકોને સંપર્કમાં રહેવા અને સતર્ક રહેવા જણાવ્યું છે. આ સાથે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને કટોકટીની સ્થિતિમાં હેલ્પલાઈન નંબર +88-01313076402 પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.


બંને પક્ષો વચ્ચે અથડામણ
વિરોધીઓ સરકારના રાજીનામાની માંગણી સાથે 'અસહકાર કાર્યક્રમ'માં ભાગ લેવા આવ્યા હતા. અવામી લીગ, છાત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application