ઓસમ ડુંગર પર તારીખ 30ના પર્વતારોહણ સ્પર્ધા

  • December 21, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાભારતના સમયમાં પાંડવોએ અજ્ઞાતવાસમાં જયાં સમય પસાર કર્યો હતો તે પાટણવાવ ડુંગર અને તેની આસપાસના સ્થળોના વિકાસ માટેની જવાબદારી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સંભાળાયા બાદ દર વર્ષે પર્વતારોહણ સ્પર્ધા યોજવામાં આવે છે. આગામી તારીખ 30 ના રોજ સતત ચોથા વર્ષે આવી સ્પધર્િ યોજાવવાની છે અને તેમાં ત્રણસો થી વધુ યુવાનો ભાગ લઈ રહ્યા છે.


ગુજરાત સરકાર રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય સંચાલિત રાજયકક્ષા ચતુર્થ ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.30 નાં રોજ ધોરાજી તાલુકામાં પાટણવાવ ખાતે આવેલા ઓસમ પર્વત, ખાતે યોજાનારી છે.


આ સ્પર્ધા જુનીયર વિભાગનાં ભાઈઓ તેમજ બહેનો એમ બે વિભાગમાં યોજાશે.નિયત સમયમાં અરજી કરનાર પાત્રતા ધરાવતા 302 ભાઈઓ-બહેનો હરિફાઈમાં ભાગ લેશે. ભાગ લેનાર સ્પર્ધકોએ તા.29 ના બપોર પછી 03:00 થી 05:00 કલાક સુધીમાં ઓસમ પર્વત તળેટીમાં કાયર્લિય પર ફરજીયાત રિપોર્ટીંગ કરાવવાનું રહેશે. સ્પર્ધાતા.30 ડિસેમ્બર 2023નાં રોજ સવારે 07:00 કલાક થી ભાઈઓ તેમજ સવારે 07:30 કલાક થી બહેનો માટે યોજવામાં આવશે. સ્પર્ધકો માટે રહેવા/જમવાની વ્યવસ્થા રાજય સરકાર દ્રારા કરવામાં આવેલ છે. આ સ્પધર્મિાં 1 થી 10 ક્રમે વિજેતા થનાર સ્પર્ધકો(ભાઈઓ-બહેનો)ને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application