ગાઝામાં 6 મહિનાથી ચાલી રહેલા યુદ્ધના પગલે પેલેસ્ટાઈનમાં 33 હજારથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • April 08, 2024 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

10 હજારથી વધુ રોકેટ છોડાયા : 12 હજાર હમાસ લડવૈયા માર્યા ગયા હોવાનો ઈઝરાયેલનો દાવો : માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના મહિલાઓ અને બાળકો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 6 મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 33,175 લોકોના મોત થયા છે. આ સંઘર્ષને ટેકનીકલ વર્લ્ડનું સૌથી લોહિયાળ યુદ્ધ માનવામાં આવી રહ્યું છે. ગાઝામાં હમાસ-નિયંત્રિત આરોગ્ય મંત્રાલયે પેલેસ્ટિનિયન પ્રદેશમાં માર્યા ગયેલા લોકો વિશે માહિતી શેર કરી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર 2023ના રોજ સંઘર્ષ શરૂ થયો હતો, ત્યારબાદ બંનેએ એકબીજા પર રોકેટથી હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સેનાએ જવાબી કાર્યવાહીમાં ગાઝામાં અત્યાર સુધીમાં 10000થી વધુ રોકેટ છોડ્યા છે.

ઇઝરાયેલના આંકડાઓ અનુસાર, દક્ષિણ ઇઝરાયેલમાં હમાસના હુમલામાં 1,170 ઇઝરાયેલ અને વિદેશી નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે, હમાસે તેના માર્યા ગયેલા લડવૈયાઓની સંખ્યા જાહેર કરી નથી. પરંતુ ઈઝરાયેલનો દાવો છે કે તેણે 12 હજારથી વધુ વિરોધી લડવૈયાઓને માર્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ઇઝરાયેલની સેનાએ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 600 સૈનિકો ગુમાવ્યા છે. જેમાંથી 27 ઓક્ટોબર બાદ ગાઝામાં 260 સૈનિકોના મોત થયા છે. બીજી તરફ, ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે 10 ઇઝરાયેલીઓના મોત થયા હતા, જેમાં કેટલાક સૈનિકો અને સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. જ્યારે, લેબનોનમાંથી છોડવામાં આવેલા હિઝબુલ્લાહના રોકેટ અને મિસાઈલ હુમલાને કારણે ઉત્તરીય વિસ્તારમાં 8 નાગરિકો અને 10 ઈઝરાયેલી સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે હજારો લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. સૌથી પહેલા 7 ઓક્ટોબરે 250 ઈઝરાયેલ અને વિદેશી નાગરિકોને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. આમાંથી 129 ગાઝામાં રહ્યા, સેનાનું કહેવું છે કે, જેમાંથી 34ના મોત થયા છે. જ્યારે 12 બંધકોના મૃતદેહ ઈઝરાયેલને પરત કરવામાં આવ્યા હતા.

માર્યા ગયેલા 33,175 લોકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું છે કે તેણે હજારો હમાસ લડવૈયાઓને "નાબૂદ" કર્યા છે, જેમાં પાંચ બ્રિગેડ કમાન્ડર અને 20 બટાલિયન કમાન્ડરનો સમાવેશ થાય છે. પશ્ચિમ કાંઠે થયેલી હિંસા દરમિયાન 459 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. ઈઝરાયેલની સેનાએ પશ્ચિમ કાંઠાના ઓપરેશનમાં 420 આતંકવાદીઓને મારવાનો દાવો કર્યો છે. 


આંકડા અનુસાર, ઇઝરાયેલના ગોળીબારને કારણે લેબનોનમાં 359 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી મોટાભાગના હિઝબુલ્લાહ લડવૈયા હતા, જ્યારે 70 નાગરિકો પણ માર્યા ગયા હતા. હજારો લોકો સરહદી વિસ્તારોમાંથી દક્ષિણ લેબનોનમાં વિસ્થાપિત થયા હતા. હમાસ અને હિઝબુલ્લાહના લડવૈયાઓ પણ આમાં સામેલ છે. સીરિયામાં ઇઝરાયેલના હુમલામાં 23 હિઝબોલ્લાહ લડવૈયાઓ માર્યા ગયા હતા. તાજેતરમાં, દમાસ્કસ પરના હુમલામાં 7 ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ માર્યા ગયા હતા. ઇઝરાયેલે આકાશમાંથી 1,400 લક્ષ્યો અને લેબનોનમાં તોપ, રોકેટ અને ટેન્ક વડે 3,300 લક્ષ્યાંકો પર હુમલો કર્યો. જ્યારે લેબનોનમાંથી 3,100 અને સીરિયામાંથી 35 રોકેટ છોડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application