રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં હાલ ચોમાસાની ઋતુમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તેમજ હાલ પવિત્ર પર્યુષણ પર્વના પ્રારંભે નિરણ, પાણી અને સારવારના અભાવે તેમજ બેદરકારીને કારણે દરરોજ ૩૦થી ૩૫ ગાયોના મોત નિપજી રહ્યા હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજના કોંગી અગ્રણી રણજીતભાઇ મૂંધવા દ્રારા સૌપ્રથમ મહાનગરપાલિકામાં ફરિયાદ અને રજુઆત કરાઇ હતી પરંતુ કોઇ કાર્યવાહી નહીં થતા અંતે આજે તેમણે પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવાનું જણાવ્યું હતું. રાજકોટ માલધારી સમાજના આગેવાન તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ સેવા દળના પૂર્વ અધ્યક્ષ રણજીતભાઇ મૂંધવાએ જીવદયા ટ્રસ્ટ દ્રારા સંચાલિત એવા રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ગાયોના મોત મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં આજરોજ તેમના લેટરપેડ આપેલી અને ઇનવર્ડ કરાવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે ભાવનગર રોડ ઉપર આવેલ મ્યુનિસિપલ ઢોર ડબ્બાના સંચાલકો જીવદયાને બદલે જીવહત્યાની પ્રવૃત્તિ કરી રહ્યા છે તો આ મામલે ફરિયાદ નોંધી જવાબદારોને સજા કરવા માંગણી છે. ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેન્દ્ર શાહ અને તેના પુત્ર યશ શાહ કરે છે તેમ જણાવી ઉમેયુ છે કે આ ઢોર ડબ્બામાં ૧૦૦૦થી વધુ ગાયોને નિરણ કે પીવાનું શુધ્ધ પાણી અપાતું નથી, બિમાર ગાયોની સારવાર માટે વેટરનરી ડોકટર પણ આવતા નથી. માત્ર ફડં ફાળા કરવા માટે જીવદયા કરતા હોવાનું તેમજ નિરણ અને પાણીના અભાવે ઢોર ડબ્બામાં દરરોજ ૩૦થી ૩૫ ગાયના મોત થઇ રહ્યાનું અરજીમાં જણાવી ગુનો દાખલ કરવા માંગણી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech