અખનૂરના બટ્ટલ વિસ્તારમાં સેનાના વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. હુમલા બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે 32 ફિલ્ડ રેજિમેન્ટે જમ્મુ અને કાશ્મીર પોલીસની સાથે તરત જ વિસ્તારને ઘેરી લીધો.
પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદના અખનૂર સેક્ટરના કેરી બટ્ટલ વિસ્તારમાં બનેલા શિવ મંદિરમાં આતંકવાદીઓએ રાતના અંધારામાં આશ્રય લીધો હતો. એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ સરહદ પારથી ઘૂસણખોરી કરીને ભારતીય સરહદમાં ઘૂસ્યા છે. આજે સવારે લગભગ 6.30 વાગ્યે, જ્યારે ગામના ત્રણ બાળકો રાબેતા મુજબ શિવ મંદિરે દર્શન કરી ટ્યુશન માટે જઈ રહ્યા હતા ત્યારે મંદિરમાં છુપાયેલા આતંકવાદીઓએ તેમને અટકાવ્યા. હુમલામાં સામેલ ત્રણેય આતંકીઓ માર્યા ગયા છે.
બાળકો તરફ પણ પિસ્તોલ તાકી હતી
આતંકવાદીઓ બાળકો પાસે તેમના મોબાઈલ ફોન આપવાની માંગ કરી રહ્યા હતા. જ્યારે બાળકોએ આતંકીઓને કહ્યું કે તેમની પાસે મોબાઈલ ફોન નથી તો તેઓ ગુસ્સે થઈ ગયા અને બાળકોને માર મારવા લાગ્યા અને તેમની શોધખોળ શરૂ કરી.
બાળકોના જણાવ્યા અનુસાર એક આતંકવાદીએ તેમની તરફ પિસ્તોલ પણ તાકી હતી પરંતુ બાદમાં આતંકવાદીઓએ તેમને અચાનક મંદિરમાંથી ભાગી જવા માટે કહ્યું. પછી બાળકો તરત જ તેમના ઘરે પરત ફર્યા અને તેમના માતા-પિતાને ગામના મંદિરમાં આતંકવાદીઓની હાજરી વિશે જાણ કરી. જે બાદ તેમણે સુરક્ષા દળોને જાણ કરી હતી.
એમ્બ્યુલન્સ પર અંધાધૂંધ ગોળીબાર
આ ઘટનાના થોડા સમય પછી જ્યારે આર્મી એમ્બ્યુલન્સ મંદિરની સામેથી પસાર થઈ ત્યારે આતંકવાદીઓએ તેના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. તે સમયે એમ્બ્યુલન્સમાં એક ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ બેઠા હતા. આ એમ્બ્યુલન્સ કેરીના મિલિટરી કેમ્પ તરફ જઈ રહી હતી. એમ્બ્યુલન્સમાં બેઠેલા લોકોએ કોઈક રીતે નીચે ઝૂકીને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ વિસ્તારમાં સેનાની ત્રણ ટુકડીઓ તૈનાત
આ વિસ્તારમાં સેનાની ત્રણ ટુકડીઓ તૈનાત છે, સરહદી વિસ્તારોમાં હોવાને કારણે દરેક આર્મી યુનિટને કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે.
થોડા સમય પછી લશ્કરી છાવણીમાં મોટરસાયકલ પર સવાર કેટલાક કુલી (મિલિટરી કેમ્પમાં કામ કરતા સામાન્ય નાગરિકો) પણ મંદિરની નજીકથી પસાર થયા, જેમને જોઈને આતંકવાદીઓએ ગોળીબાર કર્યો પરંતુ તેઓ પણ કોઈક રીતે નાસી છૂટ્યા. બાદમાં સેનાના જવાનોએ તેને મારી નાખ્યા.
ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી
સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ સેનાએ કેરી બટાલના આ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો હતો અને આર્મી એરક્રાફ્ટ અને ડ્રોનની મદદથી આતંકીઓ પર નજર રાખવામાં આવી રહી હતી. હવે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
સરહદી વિસ્તારો તરફ જતા માર્ગો પર સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહનોની શોધખોળ શરૂ કરી હતી. જેથી આતંકવાદીઓ કોઈપણ વાહનને હાઈજેક કરીને ભાગી ન જાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech