ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન ન્યાયમૂર્તિ નિલય અંજારિયા સહિત 3 જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે. સીજેઆઈએ આ ત્રણેય જજના શપથ લેવડાવ્યા છે. ગુજરાતના વધુ એક જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક સાથે રાજ્ય ન્યાયતંત્રમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
મૂળ ગુજરાતના કચ્છના વતની ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી. અંજારિયાને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઇ અને બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. ચંદુકરને પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી અપાઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જે પાંચ હાઇકોર્ટના જજોને જુદી જુદી હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુકત કરવાની જે ભલામણ કરી હતી, તેમાં ગુજરાતના વતની અને ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ પટણા હાઇકોર્ટના જજ વિપુલ મનુભાઇ પંચોલીને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરાઇ હતી.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા હજુ ત્રણ દિવસ પહેલા જ આ ત્રણેય જસ્ટિસના નામની ભલામણ કરાઈ હતી. જેની પર કેન્દ્રીય કાયદા મંત્રાલય અને સરકાર દ્વારા પુખ્ત વિચારણા બાદ આખરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આજે સત્તાવાર મંજૂરી આપી હતી.
જસ્ટિસ એન.વી. અંજારિયાનો જન્મ તા. 23 માર્ચ 1965 માં અમદાવાદમાં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કરી 1988થી ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે 1989 માં કાયદામાં માસ્ટર્સ કર્યું હતું. વર્ષ 2011માં તેઓ ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ અને 2013માં કાયમી જજ બન્યા હતા. 21 નવેમ્બર 2011થી ફેબ્રુઆરી 2024 સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ તરીકે કાર્યરત રહ્યા હતા અને 25 ફેબ્રુઆરી 2024ના રોજ તેઓ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ પામ્યા હતા.
સુપ્રીમ કોર્ટને હવે નવા ત્રણ જજ મળતાં સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 34નું થશે. જસ્ટિસ નિલય વી. અંજારિયા મૂળ કચ્છના માંડવીના વતની છે, તેમના દાદા સુબોધભાઇ અંજારિયા અને પિતા વિપીનભાઇ અંજારિયા પણ માંડવી કોર્ટમાં સિનિયર એડવોકેટ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMજામનગરમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ
May 31, 2025 06:29 PMકાલાવડ નગરપાલિકા દ્વારા ઘોર બેદરકારી સામે આવી
May 31, 2025 05:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech