જુલાઇ માસ દરમ્યાન ૧૨૬૨ દર્દીઓના બ્લડ સેમ્પલ લેવાયા
તાજેતરના ભારે વરસાદ પછી જામનગરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે, જો કે તેમાં તાવ, શરદી, ઉધરસના કેસ હોય તેમ જાણવા મળ્યું છે, કારણ કે ગત માસમાં મેલલેરિયાના રર અને ઝેરી મેલેરિયાના ત્રણ કેસ જી.જી. હોસ્પિટલમાં નોંધાયા છે, જો કે સરકારી દવાખાના, ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવનાર દર્દીઓની સંખ્યાનો આમાં સમાવેશ નથી.
તાજેતરમાં જામનગર શહેર-જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. આ પછી ઠેર ઠેર પાણીના ખાડા, ખાબોચિયા ભરાયેલા જ રહ્યા હતાં. ઉપરાંત પૂરતી સફાઈના અભાવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધતા હોસ્પિટલ, દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જેમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓનું પ્રમાણ વિશેષ છે.
જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ગત્ જુલાઈ માસમાં ૧ર૬ર દર્દીઓ ના લોહી ના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી રર દર્દીઓને મેલેરિયા હોવાનો અને તેમાંથી ત્રણ દર્દીને ઝેરી મેલેરિયા હોવાનો રિપોર્ટ મળ્યો હતો. જામનગરમાં રોગચાળાને કાબૂમાં લેવા માટે સઘન સફાઈ અને જંતુનાશક દવા છંટકાવની કામગીરી વધુ અસરકારક કરવી જરૃરી છે. અન્યથા હજુ પણ રોગચાળો વકરશે તેમાં કોઈ શંકા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકનાથ શિંદે સરકાર ફરી ટેન્શનમાં, મનોજ જરાંગેએ ચૂંટણી પહેલા આપ્યું અલ્ટીમેટમ
September 17, 2024 06:47 PMસળગતી ચિતા પર ચોખા રાંધ્યા, ખોપરી પણ ઉપાડી ગયા, આવી રીતે આપ્યો તંત્રવિદ્યાને અંજામ
September 17, 2024 06:37 PMભારતના સૌથી યુવા CEO લક્ઝરી કાર કેમ નથી ખરીદતા? રાધિકા ગુપ્તાએ જણાવ્યું ચોંકાવનારું કારણ
September 17, 2024 06:35 PMકોરોના વાયરસનો નવો ખતરો: 27 દેશોમાં ફેલાયો નવો વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક
September 17, 2024 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech