ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા, સેક્રેટરીમાં મનોજભાઇ ઝવેરી બિનહરીફ : ૧૫મીએ મતદાન
જામનગરના બાર એસો.ના પ્રમુખ સહિતના પદો માટે આગામી તા.૧૫ ડિસેમ્બરના દિને.ચૂંટણી યોજાવાની છે તે માટે ઉમેદવારી પત્રો ઈસ્યુ કરવામાં આવ્યા પછી ઉમેદવારોની આખરી યાદી જાહેર કરાઇ છે, જેમાં પ્રમુખ પદ માટે ૩ ઉમેદવાર મેદાનમાં છે, ઉપપ્રમુખ અને સેક્રેટરી બિનહરીફ થયા છે, જયારે જોઇન્ટ સેક્રેટરીમાં ૩ સહિતનો સમાવેશ થાય છે.
જામનગરના વકીલમંડળ દ્વારા ચાલુ મહિનાના પ્રથમદિને મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી અને તેમાં નવા મતદારોને જોડવાની પ્રક્રિયા કરવામાં આવી હતી અને જુદા જુદા હોદા માટે ફોર્મ વિતરણ કરાયા હતા, હાલમાં જામનગરના વકીલમંડળમાં ૧૨૩૭ સભ્યો નોંધાયેલા છે.
જામનગર બાર એસો. ૨૦૨૪ની ચુંટણી માટે ઉમેદવારોની આખરી યાદી મુજબ છેલ્લા નવ વખતથી પ્રમુખપદે ચૂંટાઈ આવતા એડવોકેટ ભરતભાઈ સુવા, એડવોકેટ અનિલભાઇ જી. મહેતા તેમજ એડવોકેટ નયન એમ. મણિયારે પ્રમુખપદ માટે દાવેદારી કરી છે. આ ૩ ઉમેદવારો મેદાનમાં છે, જામનગર બાર એસોમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન પ્રમુખપદ માટે બે ઉમેદવારો હતા, એ અગાઉ ૨૦૧૫માં બાર એસોના પ્રમુખ પદ માટે ૪ એડવોકેટ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને હાલ ૩ ઉમેદવાર પ્રમુખપદ માટે મેદાનમાં છે.
બાર એસો.ના ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી (મંત્રી) તરીકે મનોજભાઇ ઝવેરી બિનહરીફ થયા છે, જયારે જોઇન્ટ સેક્રેટરી (સહમંત્રી) તરીકે ડીપ શૈલેષ ચંદારાણા, દિપકકુમાર ગચ્છર, જીતેન્દ્રભાઇ સોમગર ગોસાઇ, લાયબ્રેરી સેક્રેટરીમાં બ્રિજેશકુમાર ત્રિવેદી, રાહુલ ચૌહાણ, ખજાનચીમાં એજાદ અનવર માજોઠી, અસરફઅલી મહમદ ઘોરી, રુચિર આર. રાવલ ઉમેદવાર તરીકે છે.
જામનગર બાર એસો. કારોબારી સભ્યોની ઉમેદવારની આખરી યાદી મુજબ દિપક દલસુખભાઇ ભાલારા, હર્ષ પી. પારેખ, જયેશકુમાર સુરડીયા, કલ્પેન વી. રાજાણી, મૂગેન એમ. ઠાકર અને મિતુલ દિનેશભાઇ હરવરાનો સમાવેશ થાય છે, કારોબારી સભ્યો માટે કુલ ૮ ફોર્મ આવેલા જે પૈકી બે ફોર્મ રદ થતા ઉપરોકત કારોબારી સભ્યોને બિનહરીફ ચુંટાયેલ ગણવાના રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે.
બાર એસો.ની ચુંટણી માટે ઉપરોકત ઉમેદવારોની આખરી યાદી જાહેર કરાઇ છે અને આગામી ૧૫ તારીખે વકિલ મંડળના બેઠકહોલમાં મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે, આખો દિવસ મતદાન કાર્યવાહી ચાલશે, અને એ પછી મોડી સાંજે ગણતરી બાદ રીઝલ્ટ જાહેર કરવામાં આવશે, વકિલ મંડળની આ ચુંટણી પ્રક્રિયામાં ચુંટણી કમિશ્નર તરીકે કે.ડી. ચૌહાણ, જોઇન્ટ કમિશ્નર તરીકે બી.ડી. દેસાઇ અને જોઇન્ટ કમિશ્નર મિહિર નંદા સેવા આપી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech