પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રાધા (ઉં.વ.27) નામની યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જેના મોબાઇલમાંથી બે વીડિયો અને કેટલાક રેકોંડિગ્સ મળી આવ્યા છે. હાલ મૃતક યુવતીની બહેનની અરજીના આધારે અને યુવતીના મોબાઇલમાંથી મળેલા વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વીડિયોમાં રાધા બોલે છે કે, તું દુખી થઈશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે, મારાથી સારી છોકરી ગોતીને મેરેજ કરી લેજે.
યુવતીએ વીડિયોમાં શું કહ્યું?
વીડિયોમાં યુવતી પોતાના પ્રેમીને સંબોધીને કહે છે કે, 'મને માફ કરજે ચાહત, હું તને કીધા વગર ખોટુ પગલું ભરુ છું. તું તારી લાઇફમાં દુખી ન થતો, હમેંશા ખુશ રહેજે અને શાંતિથી મસ્ત મેરેજ કરી લેજે. એવું ના વિચારતો કે મેં આત્મહત્યા કરી છે. તું ખુશ રહીશ તો મારા આત્માને શાંતિ મળશે. તું દુખી થઇશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. હું બે હાથ જોડીને તારાથી માફી માગુ છું, હું ઘરથી અને કંકાસથી કંટાળી ગઈ છું. તું ખુશ રહેજે અને બધાને ખુશ રાખજે.'
બીજા વીડિયોમાં યુવતી જણાવે છે કે, 'સોરી હું તને કિધા વગર આ પગલુ ભરું છું, હું આવી જિંદગી જીવવા નથી માગતી. બસ, બધી રીતે હું કંટાળી ગઈ છું, મને ગુંગળામણ મહેસુસ થાય છે. તું ખુશ રહેજે મારા જીવ, મારાથી પણ સારી છોકરી ગોતીને મસ્ત મેરેજ કરજે તો મારા આત્માને શાંતિ મળશે, જો તું દુખી થઇશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. તું ચિંતા ન કરતો અને ખુશ રહેજે હું જાઉ છું...'
રાધા બ્યુટિપાર્લર ચલાવતી હતી
મૃતક યુવતીની મોટી બહેને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં અરજી આપી છે. જેમાં જણાવ્યું છે કે, મારી બહેન રાધાના લગ્ન સાતેક વર્ષ અગાઉ સમાજના રીતરીવાજ મુજબ થયા હતા. જો કે, એને એના પતિ જોડે મનમેળ ન થતાં બાદમાં છૂટાછેડા લીધા હતા. જે અમારી જોડે જ રહેતી હતી અને બ્યુટિપાર્લર ચલાવતી હતી. ગત 12 ડિસેમ્બરના રોજ રાધા અમારા સંબંધીને ત્યાં એક પ્રસંગમાં ગઈ હતી અને 14 ડિસેમ્બરના રોજ પરત આવી હતી.
સાંજે ટીવી જોઇને ઊંઘ્યા બાદ પગલુ ભર્યું
મૃતક યુવતીની મોટી બહેને અરજીમાં વધુ જણાવ્યું છે કે, 14 ડિસેમ્બરના રોજ રાધા સાંજના સમયે ઘરે આવી હતી, ત્યારે એણે મને કીધુ હતું કે તું મારૂ જમવાનું ન બનાવતી મારે બ્યુટિપાર્લરના કામથી બહાર જવાનું છે. જે બાદ તે સાંજે નવેક વાગ્યે ઘરે આવી હતી અને ટીવી જોયા બાદ અમે બધા સુઇ ગયા હતા. બાદમાં 15 ડિસેમ્બરે સવારના જોયું તો રાધાએ પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઇ લીધો હતો. જે બાદ અમે એને સિવિલ લઈ ગયા હતા, જ્યાં પી.એમ કરાવીને અમે અંતિમસંસ્કાર કરી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech