જામનગરમાં ધોળા દિવસે મકાનમાંથી 26 હજાર રોકડની ઉઠાંતરી

  • October 18, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અશોકસમ્રાટ નગરનો બનાવ : સીસી ફુટેજ ચેક કરતી પોલીસ


જામનગરના નિલકમલ સોસાયટી શેરી નં. 6ના છેડે આવેલ અશોક સમ્રાટનગરમાં આવેલા મકાનમાં ત્રાટકેલો શખ્સ તિજોરીના ખાનામાંથી 26 હજારની રોકડ ચોરી કરી ગયો હતો, બે દિવસ પહેલા થયેલી આ ચોરીમાં ગઇકાલે ફરીયાદ કરવામાં આવતા આજુબાજુના વિસ્તારોના સીસી ફુટેજ ચેક કરવામાં આવી રહયા છે.


જામનગરના નિલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલ અશોકસમ્રાટ નગરમાં  રહેતા ધર્મેન્દ્રસિંહ લખુભા જાડેજાના રહેણાંક મકાનમાં ધોળા દિવસે કોઇ અજાણ્યો શખ્સ મના પાછળના દરવાજામાં હોલ કરી દરવાજાને ખોલી અંદર પ્રવેશ્યો હતો.


દરમ્યાન મમમાં રાખેલી તિજોરીના ખાનામાંથી ઘર વપરાશના રોકડા ા. 26 હજારની ચોરી કરી ગયો હતો, આ અંગે ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગઇકાલે સીટી-સીમાં અજાણ્યા ઇસમ વિરુઘ્ધ ફરીયાદ કરી હતી જેના આધારે પીએસઆઇ બરબસીયા દ્વારા આજુબાજુના વિસ્તારના સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application