પેટા: નિષ્ણાતોએ આ રોગ ફેલાવા માટે કે એન્ટ્રો વાયરસને જવાબદાર ગણાવ્યો: સામાન્ય રીતે આ વાયરસ પાંચ દિવસ સુધી રહે છે આ ચેપ:રાજ્યની તમામ સરકારી હોસ્પીટલોમાં આંખના દર્દીઓની ભીડ
હાલના સમયમાં સમગ્ર ગુજરાતમાં આંખનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આઈ કન્જકટીવાઈટીસ નામની આ બીમારીના દરરોજ 25 થી 30 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. નિષ્ણાતોએ આ વાયરસના ફેલાવા માટે કે એન્ટ્રો વાયરસને જવાબદાર ગણાવ્યો છે. સામાન્ય રીતે આ વાયરસ પાંચ દિવસ સુધી રહે છે અને ધીમે ધીમે દર્દી સાજો થઈ જાય છે. નેત્ર ચિકિત્સકોના જણાવ્યા અનુસાર, આ વાયરસથી ચેપની સારવારમાં દરેક દર્દીને એન્ટિબાયોટિક આઈ ડ્રોપ્સ જેમ કે મોક્સિફ્લોક્સાસીન આઈ ડ્રોપ્સ , ગેટીફ્લોક્સાસીન આઈ ડ્રોપ્સ અથવા સિપ્રોફ્લોક્સાસીન આઈ ડ્રોપ્સની જરૂર પડતી નથી.
આ દવાઓનો ઉપયોગ ખાસ કિસ્સાઓમાં થાય છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં કન્જકટીવાઈટીસની સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આંખ લાલ થવી, આંખમાં દુખાવો જેવા લક્ષણોમાં નજીકના આંખના ડોક્ટર પાસેથી સારવાર લેવી જોઈએ. ઈન્ફેક્શનના કિસ્સામાં જાતે સારવાર ન કરો, ડૉક્ટરની સલાહ લીધા પછી જ આંખમાં દવા નાખવી જોઈએ. ચેપગ્રસ્ત દર્દીઓએ ચશ્મા પહેરવા જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. જો શક્ય હોય તો, બિનજરૂરી ભીડમાં ન જાવ. સમયાંતરે હાથ ધોવાની પણ સલાહ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હવે શરૂ થશે પરિવર્તન', જાણો બ્રિટનના નવા PM કીર સ્ટારમેરના ભાષણની કેમ થઈ રહી છે ચર્ચા
July 05, 2024 11:13 PMઆકાશમાં ઉડતી લક્ઝરી હોટેલ, જિમ અને સ્વિમિંગ પૂલથી લઈને રેસ્ટોરન્ટ સુધીની છે સુવિધાઓ
July 05, 2024 11:12 PMઅંતરિક્ષથી પૃથ્વીની સૌથી નજીકની જગ્યા, અહીનું મૌન પણ લાગે છે ભયાનક
July 05, 2024 11:11 PM557 બાળકોનો પિતા છે એક વ્યક્તિ, પૂરી દુનિયામાં ફેલાયેલા છે તેના બાળકો
July 05, 2024 11:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech