અનિલ કપૂર અને રાની મુખર્જી સ્ટારર ફિલ્મ નાયક 23 વર્ષ પછી પણ દર્શકો માટે ખાસ છે. એક રાજકીય ડ્રામા ફિલ્મ જેણે દરેક વર્ગના લોકોને મનોરંજન સાથે રાજકારણનું જ્ઞાન આપ્યું. હવે મેકર્સે આ ફિલ્મને પસંદ કરતા દર્શકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. નિર્માતાઓએ નાયકની સિક્વલ પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં 23 વર્ષ બાદ રાની મુખર્જી અને અનિલ કપૂર ફરી એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ વખતે આપણે પહેલા કરતા વધુ રાજકીય ડ્રામા જોવા જઈ રહ્યા છીએ.
7 સપ્ટેમ્બર 2001ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ નાયક, એસ શંકર દ્વારા નિર્દેશિત અને એએમ રત્નમે નિર્મિત કરી હતી. પરંતુ હવે મુકુતે આ ફિલ્મના રાઈટ્સ ખરીદી લીધા છે અને તે નાયક 2 પ્રોડ્યુસ કરી રહ્યા છે. ' મુકુતે પુષ્ટિ કરી કે તેણે આ ફિલ્મના રાઇટ્સ ઘણા સમય પહેલા ખરીદ્યા હતા. હવે આ ફિલ્મ પર કામ પણ શરૂ થઈ ગયું છે. સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે. નિર્માતાએ પુષ્ટિ કરી છે કે લેખન કાર્ય પૂર્ણ થતાંની સાથે જ તે અનિલ કપૂર અને રાની મુખર્જી સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મનું દિગ્દર્શન કોણ કરશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
અનિલ કપૂરની આ ફિલ્મે રાજનીતિની સત્યતાનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે અમરીશ પુરીએ મહત્વની ભૂમિકા ભજવીને ફિલ્મને ખાસ બનાવી હતી. હવે જોવાનું એ રહેશે કે નાયક 2ની વાર્તામાં શું રસપ્રદ રહેશે અને આ ફિલ્મનો વિલન કોણ હશે. આ ઉપરાંત, પહેલા ભાગમાં રાની મુખર્જીએ માત્ર પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે પાર્ટ 2માં તેનો રોલ કેટલો શાનદાર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech