રાજકોટ શહેરમાં સતત છેલ્લા ૧૫ દિવસથી વાદળછાયુ વાતાવરણ અને ઝરમર વરસાદ યથાવત રહેતા ભેજ યુકત હવામાન વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળે ત્રિભેટે આક્રમણ કયુ છે. શહેરમાં ડેન્ગ્યુ મેલેરીયા અને ટાઈફોઈડના ૧૫ કેસ સહિત વિવિધ રોગચાળાના કુલ ૨૦૯૪ કેસ નોંધાયા છે. મહાપાલિકા તંત્રએ સત્તાવાર આટલા કેસ જાહેર કર્યા છે તો ખરેખર કેટલાક કેસ હશે તે તપાસનો વિષય છે.
મહાપાલિકાએ આજે જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ શહેરમાં ડેન્ગ્યુના ૯, મેલેરિયાનો એક, ટાઇફોઇડના પાંચ, શરદી ઉધરસના ૧૧૦૬, સામાન્ય તાવના ૪૫૨ અને ઝાડા ઉલ્ટીના ૫૧૫ કે નોંધાયા છે.દરમિયાન રોગચાળો અટકાવવા માટે મહાપાલિકાની આરોગ્ય શાખાએ કરેલી કામગીરીની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિતની ૩૬૦ ટીમો દ્રારા ૧,૩૦,૦૩૪ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ફિલ્ડવર્કરો દ્રારા ૧૯૯૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કરાયું હતું.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૪૬ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૩૯૧ અને કોર્મશીયલ ૧૬૪ આસામીને નોટીસ આ૫વામાં આવેલ તથા ા.૨૮,૨૦૦નો દડં વસુલાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech