સોમવારે ૨૦૦૦ની નોટ નહીં બદલી શકાય

  • January 20, 2024 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિા કાર્યક્રમ યોજાશે. દેશભરની જાહેર ક્ષેત્રની બેંકો, ગ્રામીણ બેંકો, વીમા કંપનીઓ અને તમામ નાણાંકીય સંસ્થાઓ અડધા દિવસ માટે બધં રહેશે.સરકારી કચેરીઓ પણ અડધો દિવસ બધં રહેશે. આથી ૨૦૦૦ પિયાની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને કારણે સરકારી કચેરીઓ અડધો દિવસ બધં રહેશે. આ કારણોસર ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, ૨૨ જાન્યુઆરીએ ૨૦૦૦ પિયાની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. દેશભરની જાહેર ક્ષેત્રની બેંકો, ગ્રામીણ બેંકો, વીમા કંપનીઓ અને તમામ નાણાંકીય સંસ્થાઓ અડધા દિવસ માટે બધં રહેશે. ભારતીય રિઝર્વ બેંકે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, રિઝર્વ બેંકની ૧૯ સ્થાનિક કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે. જેથી ગ્રાહકો ૨૨ જાન્યુઆરીએ ૨૦૦૦ પિયાની નોટ બદલી શકશે નહીં. ગ્રાહકો ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪થી ૨૦૦૦ પિયાની નોટ બદલી શકશે.
ઉલેખનીય છે કે રિઝર્વ બેંકે ૧૯ મે ૨૦૨૩ના રોજ ૨૦૦૦ પિયાની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. તે સમયે, ૨૦૦૦ની ૩.૫૬ લાખ કરોડ પિયાની નોટો ચલણમાં હતી. આ કિંમત ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ઘટીને માત્ર ૯,૩૩૦ કરોડ પિયા રહી ગઈ છે. હજુ પણ ૨.૬૨ ટકા જેટલી ૨૦૦૦ પિયાની નોટો બેંક સકર્યુલેશનમાં પરત આવી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application