પોરબંદર-દ્વારકા હાઈવે પર કુછડી ગામ નજીક સોમવારે મોડીરાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કર્ણાટકના યાત્રાળુઓથી ભરેલી બસ બંધ પડેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં 12 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી. કુછડી ગામ નજીક ગોળાઈ પાસે રસ્તા પર બંધ પડેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રીના ઉપવાસ કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
March 28, 2025 03:49 PMઆરોગ્ય સેવાઓમાં કર્મચારીઓની મોટાપાયે અછતનો કેગનો અહેવાલ
March 28, 2025 03:48 PMપોરબંદરમાં કયાંય દા, ગાંજો, ચરસ, ડ્રગ્સ વહેચાતા હોય તો પોલીસનો સંપર્ક કરો
March 28, 2025 03:48 PMપોરબંદરમાં ગેસની નળી લીકેજ થતા લાગી અતિ ભયાનક આગ
March 28, 2025 03:47 PMવનાણા ના ટોલનાકાના પ્રશ્ર્નનો નિવેડો લાવવા વિડિયો કોન્ફરન્સમાં થઈ રજૂઆત
March 28, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech