જો લાંબા સમય સુધી ઓછું વજન, તાવ, થાક, સાંધામાં દુખાવો, એનિમિયા હોય તો આંતરડામાં સોજો આવી જવો (ઇન્ફલેમેટરી બાઉલ ડિસીઝ – આઈબીડી) માટે પરીક્ષણ કરાવવું ફાયદાકારક છે. કારણ કે દેશમાં લગભગ 20 લાખ આઈબીડી દર્દીઓ છે. બાળકોમાં આ રોગ વધી રહ્યો છે.
આ રોગ વારસાગત પણ છે
ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ (આઈબીડી) દિવસ નિમિત્તે શહેરના મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડૉ. શ્રવણ બોહરાએ જણાવ્યું હતું કે, દેશમાં આ રોગના 20 લાખ દર્દીઓ હોય શકે છે. આ આંકડો સતત વધી રહ્યો છે. ખોરાકમાં પોષણનો અભાવ અથવા આંતરડાને નુકસાન પહોંચાડતી વસ્તુઓનું વધુ પડતું સેવન આ સમસ્યાનું કારણ હોય શકે છે. પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, પાણી, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ ખોરાકનું સેવન કરવાથી આ રોગની સમસ્યા દૂર થઈ શકે છે. ઊંઘનો અભાવ અને જંક ફૂડનું વધુ પડતું સેવન પણ તેના કારણો છે. આ રોગ વારસાગત પણ છે.
આનાથી આંતરડાના કેન્સરનું જોખમ વધે છે
સોજાને કારણે અસરગ્રસ્ત આંતરડાને દૂર કરવા માટે એક કરતાં વધુ ઓપરેશનની જરૂર પડી શકે છે. અસરગ્રસ્ત દર્દીને લાંબા સમય સુધી અથવા જીવનભર દવા લેવી પડી શકે છે. ત્રણ-ચતુર્થાંશ દર્દીઓને જીવનભર દવાઓ લેવી પડે છે. આનાથી આંતરડાના કેન્સરનું જોખમ વધે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. ડોક્ટરના જણાવ્યા મુજબ, કોલોનોસ્કોપી અને બાયોપ્સી દ્વારા આ રોગનું નિદાન શક્ય છે.
આ રોગને દવાઓ વડે નિયંત્રણમાં લાવી શકાય છે
આ રોગને દવાઓ વડે નિયંત્રણમાં લાવી શકાય છે. જો કે, દર્દીએ વર્ષો સુધી હોસ્પિટલ જવું પડતું હોય છે. એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના દર્દીઓમાં નિદાન કરવામાં બે થી ત્રણ વર્ષનો સમય લાગે છે.
સ્તનપાનનો અભાવ હોય છે
શહેરની એપોલો હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. શ્રવણ બોહરાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ પ્રકારની સમસ્યા 20 થી 40 વર્ષની વયજૂથમાં વધુ જોવા મળે છે. પરંતુ હાલમાં આ રોગ 3 થી 15 વર્ષની વયના બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે જે ચિંતાનો વિષય છે. બાળકોમાં આ રોગ થવાના મુખ્ય કારણોમાં સિઝેરિયન પદ્ધતિથી જન્મ, એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ, સ્તનપાનનો અભાવ હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech