જામકંડોરણાના સાતોદડ અને ચિત્રાવડ ગામે બીએસએનલના આઉટડોર ટાવરમાંથી રૂપિયા ૨ લાખની કિંમતના ૪૭ બેટરીના સેલની ચોરી કરી ગયા અંગેની ફરિયાદ જામકંડોરણા પોલીસમાં નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં નાનામવા રોડ પર રહેતા અને ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા બીએસએનએલમાં એસડીઇ તરીકે ફરજ બજાવતા અમિતભાઈ દિલીપભાઈ ઠાકોર (ઉ.વ ૫૪) દ્વારા જામકંડોરણા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ ૩૦/૮/૨૦૨૩ ના બીએસએનએલના બીટીએસ ટાવરના કોન્ટ્રાક્ટર પરેશભાઈ નાગજીભાઈ ધાણેજાનો સવારના ફોન આવ્યો હતો કે સાતોદડ ટેલીફોન એક્સચેન્જમાં દડવી ગામનો ફોલ્ટ જોવા મળ્યો છે જેથી અમે ટેલિફોન એકસચેન્જ પર તપાસ કરતા અહીંથી બેટરી સેટ જોવા મળ્યો ન હતો તેમજ ટેલીફોન એક્સચેન્જની ચાવી જે સાતોદડ ગામે રહેતા મહાવીરસિંહ સિધ્ધરાજસિંહ જાડેજાના કલ્યાણરાયજી દુકાને મુકતા હતા ત્યાંથી કોઈ અજાણ્યો શખસ આ ચાવી લઇ ટેલીફોન એક્સચેન્જના બિલ્ડીંગનું તાળું ખોલી તેમાં રહેલ ૨૪ બેટરી સેલની ચોરી કરી ગયાનું જણાવ્યું હતું.
આ ફોન આવ્યા બાદ ફરિયાદી અમિતભાઈએ અહીં જઈ તપાસ કરતા કલ્યાણરાયજીની દુકાનના સીસીટીવી ફૂટેજ જોતા તારીખ ૨૩/ ૮ ના સાંજના પાંચેક વાગ્યે કોઈ અજાણ્યો શખસ અહીંથી ચાવી લઈ જઇ રાત્રે પોણા દસેક વાગ્યે ચાવી મૂકી ગયાનું નજરે પડ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ કોન્ટ્રાક્ટરને અન્ય કોઈ સ્થળે આ પ્રકારે ચોરી થઈ છે કે કેમ તે બાબતે તપાસ કરવાનું કહ્યું હતું. બાદમાં માલુમ પડ્યું હતું કે તે જ દિવસે ચિત્રાવડ ગામે આવેલ બીએસએનએલના આઉટડાવરમાં તેનો લોક તોડી ૨૪ બેટરી સેલની ચોરી કરવામાં આવી છે.આમ સાતોદળ અને ચિત્રાવડ ખાતે બીએસએનએલના આઉટડોરમાંથી કુલ ૪૮ બેટરીના સેલની ચોરી થઈ હોય જેની કિંમત રૂપિયા ૧,૯૯, ૬૮૦ છે તે અંગે જામકંડોરણા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech