ચોટીલા નેશનલ હાઇવે ઉપર એક જ મહિનામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા ત્રીજું વાહન ઝડપાયું છે. ચોટીલા-મોરબીના જીવદયાપ્રેમીઓને મળેલ માહીતી મુજબ વાંકાનેરથી ભચ કતલખાના તરફ પશુઓ લઇને એક આઇસર નિકળેલ છે. જે અંગે મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલ ચોટીલા પોલીસને જાણ કરેલ હતી.
ચોટીલા પોલીસના ઇશ્ર્વરભાઇ, દીલીપભાઇ સાથે જીવદયાપ્રેમી હરેશભાઇ ચૌહાણ, દલસુખભાઇ અજાડીયા, રઘુભાઇ, દિનેશભાઇ લોરિયા, કમલેશભાઇ આહિર સહિતના ગૌરક્ષકોની ટીમ હાઇવે ઉપર વોચ રાખી બાતમીવાળી આઇસર ટ્રક નિકળતા અટકાવી તલાશી લેતાં એક પાડો, એક નાનો પાડો, આઠ ભેસો બેરહેમી અને ક્રુરતાપૂર્વક બાંધેલ તેમજ કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર અને કોઇપણ પાસ પરમીટ વગર મળી આવેલ પોલીસે ટ્રક લઇને જતાં વાંકાનેરના સરવાણી પરમાર અને રાજુ ચૌહાણને ઝડપી લીધા હતાં. પુછપરછમાં પશુઓ આઇસરના માલીક અશરફ યાકુબભાઇના કહેવાથી દિઘડીયા ગામના ભીખાભાઇએ ભરી આપેલ હોવાનું જણાવતા બન્નેની અટક કરી તમામ વિધ્ધ ધોરણસર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech