BREAKING NEWS

રથયાત્રાના ડાયવર્ઝન દરમિયાન ઇસ્યુ થયેલા 1855 ઈ-મેમો રદ્દ કરાયા; કેસ-ટુ-કેસ સમીક્ષા બાદ વાહનચાલકોને મોટી રાહત

  • July 22, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રથયાત્રા જેવા મહાપર્વ દરમિયાન જ્યારે આખું શહેર ભક્તિના રંગે રંગાયેલું હોય છે, ત્યારે રસ્તાઓ પર ટ્રાફિકનું નિયમન કરવું એ પોલીસ તંત્ર માટે ખૂબ મોટો પડકાર હોય છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસે અનેક રૂટ ડાયવર્ટ કરવા પડે છે, જેના કારણે સામાન્ય વાહનચાલકો અજાણતા જ ટ્રાફિકના નિયમો ભંગ કરી બેસે છે. પણ આ વખતે અમદાવાદ ટ્રાફિક પોલીસે માત્ર કાયદાનું પાલન કરાવવા પૂરતું મર્યાદિત ન રહેતાં, એક અત્યંત સંવેદનશીલ અને માનવીય અભિગમ અપનાવીને હજારો વાહનચાલકોના દિલ જીતી લીધા છે.


​​​​​​​અમદાવાદમાં તાજેતરમાં ધામધૂમથી સંપન્ન થયેલી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા દરમિયાન શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે અનેક માર્ગો પર રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા. આ ડાયવર્ઝનના કારણે મજબૂરીમાં નિયમભંગ કરનારા નાગરિકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા હતા. જોકે, ટ્રાફિક પોલીસે ઉદારતા દાખવીને ઈસ્યુ થયેલા આવા ૧,૮૫૫ ઈ-મેમોનો અભ્યાસ કરીને તેને માફ કરવાનો પ્રશંસનીય નિર્ણય લીધો છે.

સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને લેવાયો નિર્ણય
રથયાત્રાના દિવસે રસ્તાઓ બંધ હોવાથી ઘણા વાહનચાલકોને વન-વેમાં જવું પડ્યું હતું અથવા નો-પાર્કિંગ ઝોનમાં વાહનો મૂકવાની ફરજ પડી હતી. અમદાવાદ શહેરના ૧૩૧ જેટલા મુખ્ય ટ્રાફિક જંકશનના સીસીટીવી (CCTV) ફૂટેજની ટ્રાફિક વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે દરેક ઈ-મેમોની વિગતવાર સમીક્ષા કરી હતી. જેમાં જોવા મળ્યું કે જે વાહનચાલકોનો વાસ્તવમાં કોઈ વાંક નહોતો અને માત્ર રથયાત્રાના રૂટ ડાયવર્ઝન કે રસ્તા બંધ હોવાને કારણે તેમને નિયમ ભંગ કરવાની ફરજ પડી હતી, તેવા તમામ કિસ્સામાં ઈ-મેમો રદ્દ (દંડ માફ) કરી દેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application