મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં પાંચ પૂજારી સહિત ૧૩ લોકો દાઝી ગયા હતા. ભસ્મ આરતી વખતે અબીલ–ગુલાલ ચઢાવવામાં આવતો હતો તે દરમિયાન આગ ફાટી નીકળી હતી.પ્રાથમિક વિગતો મુજબ બધાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. યાં તમામની સારવાર ચાલી રહી છે. જોકે રાહતની વાત એ છે કે, આગ સમયસર કાબુમાં આવી હતી. આગમાં ઘાયલ થયેલા તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતા કલેકટર નીરજ સિંહ અને એસપી પ્રદીપ શર્મા હોસ્પિટલ પહોંચ્યા હતા. સારા સમાચાર એ છે કે તમામની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે મંદિરમાં ગુલાલ ઉડાડતી વખતે ગુલાલ દીવાને અડી જતા અચાનક આગ લાગી હતી.
વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના ઉૈનમાં મહાકાલ મંદિરમાં થયેલા ભયાનક દુર્ઘટના પર શોક વ્યકત કર્યેા હતો. પીએમ મોદીએ તેના પર ટિટ કયુ છે કે ઉૈનના મહાકાલ મંદિરમાં બનેલી ઘટના ખૂબ જ દર્દનાક છે. હુ ઘાયલ ભકતોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. રાજય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટીતત્રં ઘાયલોને તમામ શકય મદદ કરી રહ્યું છે.
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કહ્યું કે, ભગવાનની કૃપાથી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. એક રીતે આ એક ખતરાની ઘંટડી છે, અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. હત્પં ઉૈન અને ઈન્દોર બંને જગ્યાએ ઘાયલ લોકોને મળ્યો છું. મેં તપાસના આદેશ આપ્યા છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવશે અને અમે વહીવટીતંત્રને ૧ લાખ પિયા આપીને તમામને મદદ કરવા જણાવ્યું છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અમે જરી પગલાં લઈશું.
ગૃહ પ્રધાન અમિત શાહે ટિટર પર આ ઘટના વિશે પોસ્ટ કયુ અને કહ્યું, મુખ્યમંત્રી મોહન યાદવ સાથે વાત કરી છે અને ઉૈનના શ્રી મહાકાલ મંદિરમાં આગની ઘટના અંગે માહિતી મેળવી છે. સ્થાનિક પ્રશાસન ઘાયલોને મદદ અને સારવાર આપી રહ્યું છે. હત્પં બાબા મહાકાલને પ્રાર્થના કં છું કે ઘાયલો ઝડપથી સાજા થાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAMCનો સુરક્ષા ખર્ચ: 10 વર્ષમાં 245 કરોડનો ધુમાડો, વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
March 03, 2025 11:53 PMટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ: "આવતીકાલની રાત મોટી હશે", દુનિયાભરમાં અટકળો
March 03, 2025 09:52 PMજામ ખંભાળીયામાં હિન્દુ અને મુસ્લિમ પરીવાર વરચે રાત્રીના સમયે મારામારી થતા 2 લોકો ઇજાગ્રસ્ત
March 03, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech