પોલિટેકનિક અને ઈજનેરી કોલેજની 1260 બેઠકો સ્થગીત,૬૨૪નો વધારો અને ૪૩૨નુ શિફટીગ

  • June 29, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમયની માગ મુજબ નવા અભ્યાસક્રમો શરૂ કરવા બેઠકમાં વધારો ઘટાડાનો સરકારનો નિર્ણય




ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી પોલિટેકનિક અને ઇજનેરી કોલેજોમાં 40,000 જેટલી બેઠકો ખાલી રહે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ચાલુ શૈક્ષણિક સત્રમાં અને આગામી દિવસોમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકારે વર્તમાન સમયની માંગને અનુરૂપ વિવિધ પોલિટેકનિક અને ઇજનેરી કોલેજોની વિવિધ બેઠકોમાં વધારો ઘટાડો કરવા અને શિફ્ટિંગ સહિતના મહત્વના નિર્ણયો લીધા છે.



સરકારના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની ઇજનેરી કોલેજોમાં ડિગ્રી અભ્યાસક્રમોમાં 210 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. 270 બેઠકોનું શિફ્ટિંગ કરાયું છે અને 870 બેઠકો સ્થગિત કરવામાં આવી છે.



અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સરકારી ઇજનેરી કોલેજોમાં 54 બેઠકોનો વધારો, 72 બેઠકોનું શિફ્ટિંગ કરવામાં આવ્યું છે. સરકારી પોલીટેકનિક સંસ્થાઓમાં વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં 360 બેઠકોનો વધારો કરાયો છે. 90 બેઠકોનું શિફ્ટિંગ કરાયું છે અને 390 બેઠકો સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કરાયો છે.



પોલિટેકનિક અને સરકારી ઇજનેરી કોલેજોમાં ડિગ્રી અભ્યાસક્રમો, અનુસ્નાતક અભ્યાસક્રમો અને ડિપ્લોમા કોર્સિસમાં 624 બેઠકોનો વધારો થયો છે. 1260 બેઠકો સ્થગિત કરવામાં આવી છે અને 432 બેઠકોનું શિફ્ટિંગ કરવામાં આવ્યું છે.


સરકારે ઓટોમોબાઈલ, ઈસી, કોમ્પ્યુટર,આઇટી, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જેવી બ્રાન્ચોમાં બેઠકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ બ્રાન્ચમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ભાવનગર જૂનાગઢની પોલિટેકનિક કોલેજોને લાભ મળશે. જ્યારે સરકારી ઇજનેરી કોલેજોમાં બેઠક વધારાની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રની એક પણ કોલેજ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application