લાખેણો પગાર જમી જતાં ઝનાના ૧૨ નસિગ ઇન્ચાર્જની કામચોરી

  • August 14, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલ ઝનાના હોસ્પિટલમાં ૧૨ જેટલા ઇન્ચાર્જ નસગ કર્મચારીને લાખ પિયાનો ચોખ્ખો પગાર લેવો છે પરંતુ ચોખ્ખું કામ કરવામાં ડાંડાઈ કરી પોતાની સુવિધા માટે થઇ ને આઉટ સોર્સના નિવૃત નસગ સ્ટાફને મુકાવી સરકારી તિજોરી મહિને અડધા લાખથી વધુનું નુકસાન પહોંચાડવું છે, સરકારી તિજોરી ઉપર ભારણ વધે આ માટે હોસ્પિટલ તત્રં તરફથી ઓર્ડર પણ કરી હાલમાં તાત્કાલિક ધોરણે ત્રણ નિવૃત નસગ કમર્ચારીની ભરતી પણ કેરી દેવામાં આવી હોવાનું પ્રકરણ સામે આવ્યું છે. આઠ કલાકની ટિન નોકરી, શનિવારનો અડધો દિવસ અને રવિવારની રજા વચ્ચે ૧૫ દિવસે એક નાઈટ આવે એ પણ કામચોર નસગ સ્ટાફને કરવી નથી અને હોસ્પિટલ તત્રં ઉપરાણું લઇ ઓર્ડર પણ કરી આપે આ તે કેવી સરકારી સુવિધા વાળી સિસ્ટમ ? તેવા સવાલ હોસ્પિટલ કેમ્પસમાં ઉઠી રહ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક બાજુ નવ નિયુકત સુપ્રિન્ટેન્ડેન્ટ હોસ્પિટલ સુધારણા તરફ કામ કરી રહ્યા છે અને સરકારના પૈસાનું આંધણ ન થાય માટેની પૂરતી ચીવટ રાખવામાં આવી રહી છે જયારે બીજી બાજુ હોસ્પિટલના જ નસગ કર્મચારીઓ પોતાની ફરજમાં ડાંડાઈ કરી કામ ચોરી કરવાની સાથે સાથે પોતાની સુવિધા સાચવવા સરકારને જ આર્થિક નુકસાની પહોંચાડી રહ્યા છે. ઝનાના હોસ્પિટલમાં પીડીયા અને ગાયનેક વિભાગના મળી ૧૨ જેટલા વોર્ડ ઇન્ચાર્જ તરીકે નસિગ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેમની સોમ થી શુક્ર ટિન આઠ કલાકની નોકરી, શનિવારે હાફ–ડે, રવિવારની રજા આ ઉપરાંત જાહેર રજાઓ, હક્ક રજાઓ, વર્ષની ૧૭ સિક લિવ સહિતના મળતા બેનીફીટ અને માથે મહિને લાખનો પગાર એમ છતાં આ ઇન્ચાર્જ નસગ કર્મચારીને જો ૧૦ કે ૧૫ દિવસે એક સુપર નાઈટ આવે તો એ નાઈટ રીતસર દાદાગીરીથી કરવી નથી. અને આ દાદાગીરી સામે હોસ્પિટલ તત્રં ઘૂંટણિયે પડી ઇન્ચાર્જ નસગ કર્મચારીઓને નાઈટ ન કરવી પડે એ માટે જે ૫૮ વર્ષ પછી નિવૃત થયા છે એવા નસગ કર્મચારીઓની ઓઉટસોર્સ એજન્સી હસ્તક ભરતી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને આ ઓર્ડર પરથી હાલ ૫૮ વટાવેલા ત્રણ જેટલા નિવૃત નસગ કર્મચારીઓની .૧૭૦૦૦ના પગારે અલગથી ભરતી પણ કરી દેવામાં આવી છે. આ ઓર્ડર કોના કહેવાથી અને કોણે કર્યેા એ અંગે હવે રાયનું આરોગ્ય વિભાગ હોસ્પિટલના જવાબદારો પાસેથી ખુલાસો માગી સરકારી તિજોરીને આ રીતે નુકશાન પહોંચાડવાનું કારણ પૂછવામાં આવશે ત્યારે જ સાચી હકીકત સામે આવશે. અને જવાબદારો સામે સરકારી કર્મચારી થઇ સરકારને જ આર્થિક નુકસાન પહોંચાડવા અંગેની કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડવામાં આવે તોજ હોસ્પિટલમાં થતી કામચોરી અને અને આ રીતે સરકારી પૈસાનો વેડફાટ અટકશે.


મેટ્રન દિવ્યાંગ હોવાથી રાઉન્ડમાં જતા નથી, સ્ટાફને જલસા
સરકારી વિભાગોમાં જુદા જુદા અનામત કવોટા હેઠળ ભરતી કરવામાં આવતી હોઈ છે. ત્યારે વિકલાંગતા ધરાવતા વ્યકિતની દોડધામ કરવાની નોકરી પર ભરતી આવે ત્યારે ચોક્કસ પણે એ કામ થવાનું જ નથી જેના કારણે કામ કરવા લાયક વ્યકિત એ કામ કરી શકતો નથી. ઝનાના હોસ્પિટલમાં પણ આવું જ ચાલી રહ્યું છે. એક લાખનો પગાર લેતા મેટ્રન દિવ્યાંગ હોવાથી ૧૧ માળના હોસ્પિટલમાં નિયમિત રાઉન્ડ લેવાના હોઈ એ લઇ શકતા નથી જેના કારણે નીચેનો સ્ટાફ પણ બેફામ બની જલસા મારી રહ્યો છે. જેની અસર દર્દીઓની સારવાર ઉપર પણ પડી રહી છે. તાકીદે તેમની જગ્યા જે દોડી શકે એવા નસગ કર્મચારીને મેટ્રનનો ચાર્જ આપવામાં આવે તો હજુ એ ઝનાનાની બગડતી સ્થિતિ સુધારી શકાય તેમ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application